Book Title: Pudgalno Parihar Parmarthni Prapti
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 168
________________ દ્રવ્ય એ ગુણોની શક્તિનો પૂંજ છે. તે શક્તિની વ્યક્તિ તે પર્યાય છે. એ પર્યાય મોહનીય કર્મયુક્ત હોવાથી મલિન છે. દ્રવ્યના આધારે ગુણ અને પર્યાય છે. તેનો યથાર્થ બોધ જેને પરિણમે છે તે આત્મા સ્વસ્વરૂપને પામે છે. દ્રવ્યમાં ગુણો ધ્રુવપણે રહેલા છે. પર્યાય ક્રમિક છે. ગુણ પર્યાય યુક્ત સ્વભાવવાળો આત્મા છે. આવા સ્વભાવને જાણે સમજે અને સ્વભાવ સન્મુખ થાય તો પર્યાયમાં નિર્મળતા પ્રગટે. પર્યાયની નિર્મળતા પૂરા દ્રવ્યની નિર્મળતાની પ્રસિદ્ધિ કરે છે. ગુણવત્ કથનું પ-૩૭ તત્ત્વાર્થાધિગમ જેમાં ગુણો જીવમાં સદા રહેનારા જ્ઞાનાદિ અને પુદ્ગલમાં સ્પર્ધાદિ લક્ષણો અને પર્યાયો ઉત્પન્ન થનારા તથા નાશ પામનારા ધર્મો હોય તે દ્રવ્ય. જેમાં ગુણ અને પર્યાય હોય તે દ્રવ્ય કહેવાય છે. ગુણ = વસ્તુમાં સદા રહેનારાં ધર્મો – પરિણામો જેમકે જીવમાં ધર્મ, ચેતન્ય પુદ્ગલનો ધર્મ સ્પર્ધાદિ વગેરે. પર્યાય = ઉત્પન્ન થનારા અને નાશ થનારા ધર્મો (પરિણામો) જીવમાં જ્ઞાનોપયોગ, પુદ્ગલમાં સ્પર્ધાદિ પર્યાયો (અવસ્થા). દ્રવ્યમાં ધર્મો બે પ્રકારના છે – ૧. સદા, પૂરા ભાગમાં રહેનારા તે ગુણ, અને જે ઉત્પન્ન થાય અને નાશ પામે તે પરિણામને પર્યાય કહે છે. જે પરિણામો દ્રવ્યોમાં સદા રહે છે તે સહભાવી છે. તે ગુણ છે આત્મદ્રવ્યનો, પરિણામ ચૈતન્ય છે. સૂર્ય અને પ્રકાશની જેમ સદા રહે છે. તેમ રૂપ, રસ, ગંધ, સ્પર્શ વગેરે પુદ્ગલની સાથે નિરંતર હોય છે. દ્રવ્યમાં કેટલાક ધર્મો (પરિણામ) ક્યારેક હોય ક્યારેક ન હોય કેટલાક ક્રમભાવી ઉત્પાદ અને વિનાશશીલ હોય છે તે પર્યાય કહેવાય છે. જેમ કે આત્માના જ્ઞાન-દર્શન ઉપયોગ સમયે સમયે પરિવર્તન પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ ૧૫o Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180