Book Title: Pudgalno Parihar Parmarthni Prapti
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 167
________________ સંવર નિરારૂપ શક્તિ દ્વારા આશ્રવ રોકાઈ જતાં કર્મો નષ્ટ થાય છે. કર્મોનું સર્વથા નષ્ટ થવું તે જ શુદ્ધાત્માનું સ્વરૂપ છે. ગુણ પર્યાય દ્રવ્ય દોઉકે, જુએ જુએ દરસાયે એ સમજણ જિસકે લિયે ઊતરી, તે તે નિજ ઘર આયે. ૧૦૧ ગુણ પર્યાયવદ્ દ્રવ્યમ્ દ્રવ્ય માત્ર ગુણ પર્યાયયુક્ત હોય છે. દ્રવ્યમાં સદા, સર્વપ્રદેશ રહેનારા ગુણો છે. સ્પર્ધાદિ ગુણો પુગલમાં સદા સર્વત્ર રહેનારા છે. દ્રવ્યોમાં પર્યાયો + (અવસ્થા) ઉત્પન્ન અને લય થનારા ધર્મોવાળી છે. અર્થાત્ જેમાં ગુણ અને પર્યાયો હોય તે દ્રવ્ય છે. દ્રવ્યના ગુણો અને પર્યાય લક્ષણથી ભેદવાળા છે. પ્રદેશથી ભેટવાળા નથી. જેમકે દ્રવ્ય નિત્ય છે. તેમાં રહેલા ગુણો નિત્ય છે. દ્રવ્યની અવસ્થાઓ દ્રવ્યના આધારે હોય છે. પરંતુ ઉત્પાદવયવાળી છે. એટલે દ્રવ્ય નિત્ય છે પર્યાય અનિત્ય છે. દ્રવ્ય અને પર્યાય પ્રદેશથી અભિન્ન છે. લક્ષણથી ભિન્ન છે. આત્મા દ્રવ્યપણે જેવું શુદ્ધ છે તેવા ગુણો શુદ્ધ છે. પરંતુ વર્તમાન પર્યાય – અવસ્થા અશુદ્ધ છે. સાધકની દૃષ્ટિ દ્રવ્ય પ્રત્યે હોય તો સત્તામાં રહેલી કેવળજ્ઞાનસ્વરૂપ પોતાની અવસ્થાની તેને શ્રદ્ધા થાય. એ શ્રદ્ધાબળે તેનો પુરુષાર્થ ઊપડે. તો જેવું દ્રવ્ય તેવી અવસ્થા પણ શુદ્ધપણે પ્રગટ થાય. દ્રવ્ય સ્વભાવે શુદ્ધ છતાં પર્યાયની મલિનતાથી આત્મા સંસારી કહેવાય છે. એટલે દ્રવ્યને શુદ્ધ કરવાનું નથી એ તો શુદ્ધ છે જ. તેની અવસ્થાની મલિનતા ટળે શુદ્ધતા પ્રગટ થાય. જેમ માટીના લેપ સહિત તુંબડી મલિન મનાય છે. પણ પાણીમાં પડી પડી તેની માટી નીકળી જતાં સ્વચ્છ તુંબડી ઉપર તરી આવે છે. તુંબડી તે જ હતી માટીના લેપ સહિત ડૂબેલી હતી. માટીનો લેપ ઊતરી જતાં તે પાણીની સપાટી ઉપર તરી આવી. તેમ આત્મા કર્મના લેપથી સંસારમાં ડૂબે છે. કર્મનો નાશ થતાં સંસારથી તરે છે. કર્મોનું આવરણ એ વર્તમાન મલિન અવસ્થા છે. થાય. દ્રવ્ય બને છે. શુદ્ધતા ૧૫૬ પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180