Book Title: Prekshadhyana Leshya Dhyana
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 31
________________ મૃત્યુ પછીનું આભામંડળ મૃત વ્યક્તિના આભામંડળના વિષયમાં ડો. નરેન્દ્રનનું કહેવું છે કે મૃત્યુ પછી તરત જ આભામંડળ સમાપ્ત થતું નથી. પરંતુ જેવી રીતે વીજળીનું હીટર બંધ કરી દીધા પછી પણ ધીરે ધીરે તેજ-રહીત થતું જાય છે, તેવી જ રીતે પ્રાણીના મૃત્યુ બાદ આભામંડળની દીપ્તિ મંદ થતી થતી છેક ન્યૂનતમ સ્થિતિમાં પહોંચી જાય છે. જયારે વ્યક્તિના હૃદય અને શ્વાસની ગતિ બંધ થઇ જાય છે, ત્યારે શરીરની બહાર ધારીઓના રૂપમાં આભામંડળ બહાર નીકળવા માંડે છે. છ ક્લાક સુધી તે ચાલુ રહે છે, તે પછી બાકી રહેલી આભા બરાબર એવી થઇ જાય છે કે જેવી પત્થર જેવા નિર્જીવ પદાર્થમાં મળે છે. વિદેશોમાં આભામંડળ ઉપર શોધકાર્ય ડો. નરેન્દ્રને બતાવ્યું છે કે સોવિયત સંધમાં આભામંડળના જ્ઞાનનો ઉપયોગ કૃષિ-કાર્યમાં કરવામાં આવી રહ્યો છે. વૈજ્ઞાનિકોએ પાંદડાંની બિમારીનું અધ્યયન આભામંડળના આધારે કર્યું તથા તેમના રોગોના વિષયમાં ભવિષ્યવાણી પણ કરી. બીજી બાજુ અમેરિકામાં તેનો ઉપયોગ અતીન્દ્રિય જ્ઞાનના અભ્યાસમાં કરવામાં આવી રહ્યો છે. ઉદાહરણ રૂપે, એવી કઇ શક્તિ છે જે કોઇ કોઇ વખત કોઇ વ્યક્તિને તે ટ્રેઇન દ્વારા યાત્રા રવાથી રોકે છે જે આગળ જતા દુર્ઘટનાગ્રસ્ત બની જાય છે. ડો. નરેન્દ્રનના મતાનુસાર પ્રત્યેક વ્યક્તિ પાસે અંત દર્શન (intuition) ની શકિત છે અને જો તેને વિકસિત કરવામાં આવે તો મનુષ્યજાતિ માટે તે અનેક પ્રકારે ખૂબ જ ઉપયોગી સિદ્ધ થાય તેવી છે. જેમ કે દુર્ઘટના કે દુર્ઘટનાથી થનાર મૃત્યુ વિષયે ભવિષ્યવાણી પણ કરી શકાય. આભામંડળથી જોઇ શકાતા જુદા જુદા રંગોની વ્યાખ્યા આ રીતે કરવામાં આવી છે. ૧. સોનેરી રંગ - આધ્યાત્મિકતા ૨. આછો વાદળી કે નીલલોહિત - રોગ દૂર કરવાની શક્તિ ૩. ગુલાબી - પ્રેમ, સ્નેહ ૪. લાલ તૃષ્ણા, ક્રોધ ૫. લીલો - બૌદ્ધિકતા -- 20 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68