Book Title: Prekshadhyana Leshya Dhyana
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 51
________________ લેશ્યા-ધ્યાનનો પ્રયોગ ૧. આસન - ધ્યાન-અભ્યાસની સફળતાનો મુખ્ય આધાર શરીરની સ્થિરતા પર હોવાથી, આસન અર્થાત્ કઈ સ્થિતિમાં સાધક લાંબા સમય સુધી સ્થિર રહી શકશે તેનું ખૂબ મહત્વ છે. સંપૂર્ણ ધ્યાન-સમયમાં સાધકે તદ્દન નિશ્ચલ, શાંત, જાગૃત અને સ્થિર રહેવું આવશ્યક છે. આ દષ્ટિથી સાધકનું ધ્યાન વિચલિત કરનાર અગવડભર્યા આસનનો પ્રયોગ ઇચ્છનીય નથી. જેને ઊભા ઊભા ધ્યાન કરવાનો અનુભવ છે તેઓ ઊભા ઊભા પણ કરી શકે છે. કોઈ કોઈ વખત વિશેષ પરિસ્થિતિમાં સાધક સૂતાં સૂતાં પણ ધ્યાન કરી શકે છે. સામાન્ય રીતે બેઠાં બેઠાં ધ્યાન કરવું વધારે યોગ્ય રહેશે. નીચેના આસનોમાંથી ગમે તે એક આસનની પસંદગી કરી શકાય છે - પદ્માસન, અર્ધપદ્માસન, સુખાસન કે વજાસન જો કે પદ્માસન ધ્યાન માટે સર્વોત્તમ આસન છે, છતાં પણ સાધક લાંબા સમય સુધી જે આસનમાં બેસી શકે, તે જ તેના માટે યોગ્ય આસન છે. કોઈ પણ આસનમાં બેસીને લાંબા સમય સુધી ધ્યાન કરનાર સાધકને શરૂઆતમાં થોડીઘણી તકલીફ થવી સ્વાભાવિક છે. પરંતુ થોડાઘણા અભ્યાસ પછી ધ્યાનમાં ઉત્પન્ન થનાર તકલીફ પોતાની જાતે જ સમાપ્ત થઈ જાય છે. જો કોઈ પણ કારણથી આસનને લીધે ધ્યાનમાં મુશ્કેલી ઊભી થાય, તો આંખો બંધ રાખીને જ ધીરે ધીરે આસન થોડું થોડું બદલી શકાય છે. આંખો પોચી પોચી બંધ રાખવી, શરીરને સીધું રાખવું, કરોડરજજુ અને ગર્દનને સીધી રાખી જરાપણ અકકડ ન રહેવું. ૨. મુદ્રા – હાથ અને આંગળીઓની મુદ્રા નીચે પ્રમાણે બે રીતે રાખી શકાય છે. (૧) જમણા હાથની હથેળી જમણા ઘૂંટણ પર અને ડાબા હાથની હથેળી ડાબા ઘૂંટણ પર બરોબર ટેકવી રાખવી. બંને હથેળી આકાશ તરફ ખુલ્લી રાખવી. બંને હાથની તર્જની અંગૂહાના મૂળમાં રાખી અને હળવું દબાણ આપો. બીજી ત્રણ આંગળીઓ ઉપરની તરફ સીધી રાખો. ૧. આસનો માટે જુઓ, પ્રેક્ષાધ્યાન : આસન અને પ્રાણાયમ. 39 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68