Book Title: Prekshadhyana Leshya Dhyana
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 55
________________ : ૫ : લેશ્યા-ધ્યાન: નિષ્પત્તિ • ચિત્તની પ્રસન્નતા ધાર્મિકતાના લક્ષણોનું પ્રગટીકરણ • ચરિત્રની શુદ્ધિ - સંકલ્પ-શક્તિનું જાગરણ ૦ ચૈતન્યનું જાગરણ – સ્વસ્થ અને સુંદર વ્યવહાર, પ્રશસ્ત જીવન, પ્રશસ્ત મૃત્યુ o કર્યતંત્ર અને ભાવતંત્રની શુદ્ધિ ૦ પદાર્થ-પ્રતિબદ્ધતાથી મુકિત ૦ તેજો વેશ્યાથી - પરિવર્તનનો પ્રારંભ, અપૂર્વ આનંદ, માનસિક દુર્બળતા સમાપ્ત • પદુમલેશ્યાથી - મસ્તિષ્ક અને નાડીતંત્રને બળ, ચિત્તની પ્રસન્નતા, જિતેન્દ્રિયતા ૦ શુકલ વેશ્યાથી - આત્મ-સાક્ષાત્કાર ચિત્તની પ્રસન્નતા લેશ્યા-ધ્યાન-સાધનાથી અનેક પ્રકારનાં ફળો પ્રાપ્ત થાય છે. તે ફળો આંતરિક પણ છે અને બાહા પણ છે, માનસિક પણ છે અને શારીરિક પણ છે. ધ્યાન-સિદ્ધિનું સૌથી પ્રથમ પ્રમાણ છે - ચિત્તની પ્રસન્નતા. જેમ જેમ ધ્યાન સિદ્ધ થતું જાય છે, તેમ તેમ પ્રસન્નતા વધતી જાય છે. હર્ષ નહીં, પ્રસન્નતા. હર્ષ અને પ્રસન્નતામાં ખૂબ અંતર છે. જયાં હર્ષ છે, ત્યાં શોક જરૂર હશે. હર્ષ અને શોકનું એક વૈદ્ધ છે. જ્ઞાનની આરાધના વડે જે પ્રાપ્ત થાય છે તે ચિત્તની પ્રસન્નતા. ધ્યાનનું આંતરિક ફળ છે - આભામંડળનું શુદ્ધિકરણ. જેનું આભામંડળ નિર્મળ થઈ ગયું, જેની વેશ્યાઓ વિશુદ્ધ થઈ ગઈ, જેની ભાવધારા શુદ્ધ થઈ ગઈ, સમજી લેવું કે તે વ્યક્તિ ધ્યાન કરે છે. ધાર્મિકતાના લક્ષણોનું પ્રકટીકરણ " માણસ અધર્મથી બચવા માગે છે અને ધર્મના શરણે જવા માગે છે. અધર્મમય જીવનમાંથી જે પ્રાપ્ત થાય છે તે છોડવા માટે અને જે પ્રાપ્ત થતું નથી તે પ્રાપ્ત કરવા માટે તેવું કરે છે. ખરાબ ટેવો, ખરાબ વિચારો, ચિંતા, વ્યગ્રતા અને માનસિક તાણ - આ બધું અધર્મમય જીવનથી નીપજે છે, વ્યકિત તેને છોડવા ચાહે છે તથા શાંતિ, તાણમુક્તિ, સૌજન્યપૂર્ણ વ્યવહાર, સૌહાર્દ-એ બધું મેળવવા 42 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68