Book Title: Prekshadhyana Leshya Dhyana
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 62
________________ જયારે આપણે દર્શન-કેન્દ્ર પર બાળસૂર્યના અરુણ રંગનું ધ્યાન કરીએ છીએ અને જ્યારે તે ધ્યાન સિદ્ધ થઈ જાય છે ત્યારે અરુણ રંગ પ્રગટ થાય છે, દેખાવા લાગે છે. ત્યારે એ લાલ રંગના અનુભવથી તેજસ્લેશ્યાના અબ્દનોની અનભતિથી અન્તર્જગતની યાત્રા શરૂ થાય છે. ટેવોમાં પરિવર્તન થવા લાગે છે. કણ, નીલ અને કાપોત-લેશ્યાના કાળા રંગથી થયેલ ટેવો તેજે વેશ્યાના પ્રકાશમય લાલ રંગથી નષ્ટપ્રાય થવા લાગે છે. અચાનક સ્વભાવમાં પરિવર્તન આવે છે. અનિર્વચનીય અને અભૂતપૂર્વ આનંદ જયારે તેજસ્ વેશ્યાનાં સ્પંદનો જાગે છે ત્યારે વ્યક્તિને અનિર્વચનીય આનંદની અનુભૂતિ થાય છે. તે આનંદનો પ્રત્યક્ષ અનુભવ કરનાર જ તેને જાણી શકે છે. તે તેને વર્ણવી શકતો નથી. જે માણસે તેને વેશ્યાનો કદીએ પ્રયોગ કર્યો નથી, તેનું ધ્યાન કર્યું નથી, તે માણસ આ સ્થૂળ શરીરથી પાર કોઈ આનંદ હોય છે, આ વિષયો ઉપરાંત કોઇ સુખાનુભૂતિ હોય છે, તે સમજી શકતો નથી. તેની કલ્પના પણ કરી શકતો નથી. જયાં સુધી તે પ્રયોગમાંથી પસાર થતો નથી, ત્યાં સુધી તેને ખબર પણ પડતી નથી કે આવું અનિર્વચનીય સુખ પણ હોઈ શકે છે. જે સુખનો અનુભવ થાય છે તે અપૂર્વ હોય છે. માણસ વિચારે છે - મેં તો માની લીધું હતું કે સુખ તો પદાર્થોથી જ મળે છે, પરંતુ આજે એ સ્પષ્ટ સમજાય છે કે જેવું સુખ તેજસૂ વેશ્યાના સ્પંદનો જાગૃત થવાથી મળે છે, તેવું સુખ જીવનમાં કોઈપણ પદાર્થથી નથી મળી શકતું. બ્રાંતિ તૂટી જાય છે, ધારણાઓ બદલાઈ જાય વાસ્તવિકતા તો એ છે કે પદાર્થોમાં સુખ છે જ નહીં. આપણી અંદર એક વિધતધારા છે. તે જ સુખનું નિમિત્ત બને છે. વૈજ્ઞાનિક પ્રયોગો વડે પણ એ સિદ્ધ થઈ ચૂક્યું છે કે વિધાના પ્રકંપનો સિવાય કોઈ સુખનું સંવેદન થઈ શકતું નથી. જે સુખ ઇન્દ્રિય-વિષયોના ઉપભોગથી પ્રાપ્ત કરી શકાય છે, તે જ સુખ ઇન્દ્રિયવિષયો વિના, કલ્પનાથી પણ મેળવી શકાય છે અને તે જ સુખ માત્ર વિધુનાં પ્રકંપનો પેદા કરવાથી પણ મેળવી શકાય છે. કાનના બિંદુ પર કે સ્વાદના બિંદુ પર ઇલેક્ટ્રોડ લગાવીને પ્રકંપન પેદા કરવામાં આવે, તો પદાર્થ વગર પણ તેના ઉપભોગ જેવી સુખ-સંવેદનાનો અનુભવ થાય છે. વસ્તુના સંયોગથી જે પ્રતિક્રિયાઓ પેદા થાય છે તે પ્રતિક્રિયાઓ વસ્તુ સિવાય પણ વિધુતુના પ્રકંપનોથી ઉત્પન્ન કરી શકાય છે. એટલા માટે આ તથ્ય પ્રમાણિત થઈ ચૂકયું છે કે સુખનું સંવેદન વિધુત-પ્રકંપન-સાપેક્ષ છે. 49 For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68