Book Title: Prekshadhyana Leshya Dhyana
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 48
________________ રંગોનું આયોજન અને સંશ્લેષ એ તો હવે સ્પષ્ટ કરાઈ ગયું છે કે રંગોને આપણું શરીર, મન, આવેગો, કષાયો વગેરે સાથે ઘણોબધો સંબંધ છે. શારીરિક સ્વાથ્ય અને બિમારી, મનનું સંતુલન અને અસંતુલન, આવેગોમાં મંદતા અને તીવ્રતાઆ બધું જ આ પ્રયત્નો પર આધારિત છે કે આપણે ક્યા પ્રકારના રંગોનું આયોજન કરીએ છીએ. ઉદાહરણરૂપે વાદળી રંગ શરીરમાં ઓછો હોય તો ક્રોધ વધારે થાય છે. વાદળી રંગના ધ્યાનથી તેની પૂર્તિ થઈ જવાથી ક્રોધ ઓછો થઈ જાય છે. શ્વેત રંગની કમી હોવાથી અશાંતિ વધે છે, લાલ રંગ ઓછો હોવાથી આળસ અને જડતા વધે છે. પીળો રંગ ઓછો હોવાથી જ્ઞાનતંતુઓ નિષ્ક્રિય બની જાય છે. જયોતિકેન્દ્ર પર સફેદ રંગ, દર્શનકેન્દ્ર પર લાલ રંગ અને જ્ઞાનકેન્દ્ર પર પીળા રંગનું નિયમિત ૮ થી ૧૦ મિનિટ બાન કરવાથી ક્રમશ: શાંતિ, સક્રિયતા અને જ્ઞાનતંતુઓની સક્રિયતા મેળવી શકાય છે. વ્યક્તિ ખૂબ જ મોટી સમસ્યામાં ફસાયેલી છે, સમાધાન મળતું નથી. ત્યારે સમસ્યા ઉકેલવા માટે એક નાનો-શો પ્રયોગ કરે. શાંત બનીને કાયોત્સર્ગની મુદ્રામાં બેસે. શ્વાસ શાંત, શરીર શાંત, માંસપેશીઓ શિથિલ. પીળો રંગ - પદ્મ વેશ્યાનું ધ્યાન કરે. દસ મિનિટ સુધી આંખો બંધ કરી આંખો પર - ચક્ષકેન્દ્ર પર પીળા રંગનું ધ્યાન કરે અથવા આનંદ-કેન્દ્ર પર દસ મિનિટ સુધી સોનેરી રંગનું ધ્યાન કરે. એવું લાગશે કે સમસ્યા વગર ઉકેલે ઉકલી રહી છે, સમાધાન સ્વત: ક્યાંકથી ઊતરીને સામેથી આવી ગયું છે. રંગોને કેવી રાતે જેવા? લેશ્યા-ધ્યાન રંગોનું ધ્યાન છે. તેમાં આપણે નિશ્ચિત રંગને નિશ્ચિત ચૈતન્ય કેન્દ્ર પર જોવાનો પ્રયત્ન કરીએ છીએ. રંગોનો સાક્ષાત્કાર કરવા માટે વિવિધ રંગોની જાણકારી અત્યંત જરૂરી છે. આપણે રંગોના બે ભેદ કરવા પડશે. (૧)ચમકતા રંગો (bright) એટલે કે પ્રકાશના રંગો અને (૨)અંધ (full) એટલે અંધકારના રંગો. અંધકારનો કાળો, વાદળી અને કાપોતી રંગ અપ્રશસ્ત છે. પરંતું પ્રકાશનો કાળો, નીલો અને કાપોતી રંગ અપ્રશસ્ત નથી. આ જ રીતે અંધકારનો લાલ, પીળો અને સફેદ પ્રશસ્ત નથી અને પ્રકાશનો લાલ, પીળો અને (36 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68