Book Title: Pooja Sangraha with Meaning Tika
Author(s): Virvijay , Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
પંડિત શ્રી વીરવિજયજીકૃત શ્રી સ્નાત્ર-પૂજા સાથે
સ્નાત્ર ભણાવતાં પહેલાંનો વિધિ ૧. પ્રથમ પૂર્વ દિશાએ કે ઉત્તર દિશાએ અથવા મૂળ પ્રતિમા
સન્મુખ ત્રણ સુંદર બાજોઠ મૂકી તે ઉપર સિંહાસન મૂકવું. ૨. પછી નીચેના બાજોઠ ઉપર વચમાં કેસરનો સાથિયો કરી ઉપર
ચોખા પૂરીને એટલે ચોખાનો સાથિયો કરી શ્રીફળ મૂકવું. ૩. પછી તે જ બાજોઠ સામે પાટલા ઉપર બીજા ચાર સાથિયા
કરી, તે ઉપર ચાર કળશ નાડાછડી બાંધી પંચામૃત (દૂધ, દહીં,
ઘી, જળ અને સાકરનું મિશ્રણ કરી) ભરીને મૂકવા. ૪. સિંહાસનના મધ્યભાગમાં કેસરનો સાથિયો કરી, ચોખા પૂરી
રૂપાનાણું મૂકી, ત્રણ નવકાર ગણી તેના ઉપર ધાતુના
પરિકરવાના પ્રતિમાજી પધરાવવા. ૫. વળી પ્રતિમાજીની આગળ બીજો સાથિયો કરી તેના ઉપર શ્રી
સિદ્ધચક્રજી પધરાવવા. ૬. પ્રતિમાજીની જમણી બાજુએ પ્રતિમાજીની નાસિકા સુધી ઊંચો
ઘીનો દીવો મૂકવો. ૭. પછી નાત્રિયાઓએ હાથે નાડાછડી બાંધી, હાથમાં પંચામૃત
ભરેલો કળશ લઈને ઉભા રહેવું. ત્રણ નવકાર ગણી શરૂઆત કરવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org