Book Title: Paushadh Vidhi Abhiyan
Author(s): Hirchandravijay, Punyavimalvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 61
________________ થાવર વિપ્ર ત્રિદંડી થયો, પાંચમે સ્વર્ગે મરીને થાય સોલમે ભવ ક્રોડ વર્ષ સમાય, રાજકુમાર વિશ્વભૂતિ થાય .૭ સંભૂતિ મુનિ પાસે અણગાર, દુષ્કર તપ કરી વરસ હજાર માસખમણ પારણે ધરી દયા, મથુરમાં ગોચરીએ ગયા ..૮ ગાયે હણ્યા મુનિ પડિયા વશા, વિશાખાનંદી પીતરીયો હસ્યા ગૌશૃંગ મુનિ ગર્વે કરી, ગમન ઉછાળી ધરતી ધરી ..૯ તપબળથી હોજો બળધણી, ઈમ નિયાણું કરી મુનિ અણસણી સત્તરમે મહાશુક્ર સુરા, શ્રી શુભવીર સત્તર સાગરા .૧૦ ઢાળ - ચોથી અઢારમે ભવે સાત સુપન-સૂચિત સતી, પોતન પુરીએ પ્રજાપતિ રાણી મૃગાવતી તસ સુત નામે ત્રિપુષ્ઠ વાસુદેવ નીપળ્યા, પાપ ઘણું કરી સાતમી નરકે ઉપન્યા-૧ વીસમે ભવ થઈ સિંહ ચોથી નરકે ગયા, તિહાંથી ચ્યવી સંસારે ભવ બહુલા થયા. બાવીસમેં નરભવ લહીં પુણ્ય દશા વર્યા, ત્રેવીસમેં રાજધાની મુકાએ સંચર્યા-૨ રાય ધનંજ્ય ધારિણી રાણીએ જનમિયા, લાખ ચોરાસી પૂરવ આયુ જીવિયા પ્રિય મિત્ર નામે ચક્રવર્તી દીક્ષા લહી, કોડી વરસ ચારિત્ર દશા પાળી સહી-૩ મહાશુક્ર થઈ દેવ ઇણે ભરત ચ્યવી, છત્રિકા નગરીએ જિતશત્રુ રાજવી ભદ્રા માય લખ પચવીશ વરસ સ્થિતિ ધરી, નંદન નામે પુત્રે દીક્ષા આચરી-૪ અગિયાર લાખને એંશી હજાર છસ્સે વળી ઉપર પસ્તાળીશ અધિક પણ દિન રૂળી વીશસ્થાનક માસનમણે જાવજીવ સાધતાં, તીર્થકર નામકર્મ તિહાં નિકાચતાં-૫ લાખ વરસ દીક્ષા પર્યાય તે પાળતા, છવ્વીસમું ભવે પ્રાણત કલ્પે દેવતા સાગર વીશનું જીવિત સુખભર ભોગવે, શ્રી શુભવીર જિનેશ્વર ભવ સુણજો-હવે ૬ ઢાળ - પાંચમી. નયર માહણકુંડમાં વસે રે, મહાદ્ધિ ઋષભદત્ત નામ, દેવાનંદા દ્વિજ શ્રાવિકા રે, પેટ લીધો પ્રભુ વિસરામ રે પેટ. ..૧ Jain Education International For Private Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100