Book Title: Paramnu Pavan Smaran
Author(s): Ratnabodhivijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 45
________________ પધાર્યા. છઠ્ઠના તપવાળા ભગવાને કારતક વદ-૧૩ (આસો વદ-૧૩)ના દિવસે ચિત્રા નક્ષત્રમાં ૧૦૦૦ રાજાઓની પાસે દીક્ષા લીધી. બીજે દિવસે બ્રહ્મસ્થળ નગરમાં “સોમદેવ” રાજાની પાસે ભીક્ષા ગ્રહણ કરી. પંચ દિવ્ય થયાં. રાજાએ ત્યાં પીઠ બનાવ્યું. કેવલજ્ઞાન : દીક્ષા પછી છ માસ પસાર થયા પછી ભગવાન ફરીથી પોતાના નગરના સહસ્સામ્રવનમાં પધાર્યા. ત્યાં છઠ્ઠ તપ કરી સ્થિર રહેલાં ભગવાનને ચૈત્ર સુદ-૧૫ના દિવસે કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઇ. ઇન્દ્રો અને માનવી આવ્યાં. સમવસરણની રચના થઇ. તીર્થની સ્થાપના થઇ. કુસુમનામે શાસનદેવ અને અય્યતા નામે યક્ષિણી શાસનદેવી થયાં. નિર્વાણ કેવલજ્ઞાન થયાં પછી છ માસ અને સોળ પૂર્વાગે ન્યૂન એક લાખ પૂર્વ પસાર થયા બાદ પ્રભુ સમેતશિખરે પધાર્યા. ત્યાં ૧ માસનું અનશન સ્વકારી માગસર વદ-૧૧ (કારતક વદ-૧૧)ના દિવસે ચિત્રા નક્ષત્રમાં ૩૦૮ (મતાંતરે ૧૦૩) સાધુ ભગવંતો સાથે મોક્ષમાં પધાર્યા. દેવ-મનુષ્યોએ નિર્વાણ મહોત્સવ મનાવ્યો. જ ૩૦ જૈન તીર્થકર ચરિત્ર

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126