________________ परिशिष्टम्-७ 296 परिशिष्टम्-७ कतिचित्पदानां भावानुवादः 1. श्रावकधर्मविधिपञ्चाशकम् 1/26 પુષ્યનિથાનત્નક્ષમ્ - મન, વચન અને કાયાનો એકીસાથે અથવા ક્રમિક કષાયો દ્વારા સર્જન કરાતો યોગ દુપ્પણિધાન કહેવાય છે. દોષોમાંથી જેનું મન નિવૃત્ત થતું નથી, તથા અપરાધો કર્યા પછી પણ જે પશ્ચાત્તાપ કરતો નથી, અને હંમેશા બીજાઓના પરિહાસની ઇચ્છા કરે છે. તે મનદુપ્રણિધાન કહેવાય. /// માયાવી વચનો દ્વારા મિથ્યાત્વનું પોષણ કરનાર જેનું બોલાતું વચન અનેક જીવોનું પતન કરનાર થાય તથા નિરર્થક વચન બોલાય તે વચન દુષ્મણિધાન કહેવાય //રા/ કેવલ વેશ, વય વિડમ્બના નહિ પરંતુ સુતેલું બાળક જેમ ઊંઘમાં આંખ ફરકાવે છે તે જેમ અંગનું દુપ્રણિધાન કહેવાય છે તેવું જ અંગ સમ્બન્ધી દુષ્પણિધાન કહેવાય. IIii 1/32 વ્યાપારતિ શ્રાવક સુપાત્રદાન કરીને ભોજન કરે અથવા ભોજન કર્યા પછી દાન કરે કે ઘરના સભ્યો દ્વારા દાન કરાવે. /પાયાયઃ સૂત્રાત્ વિયા - આગમ સૂત્રોનું ગીતાર્થ ગુરુભગવંત પાસે વિધિપૂર્વક શ્રવણ કરીને શ્રાવકે 12 વ્રતોને વિસ્તારથી જાણવાના છે અને પોતાની ભાવનાશક્તિ અનુસાર 12 વ્રતોને ગ્રહણ કરીને આચરવાના છે. આમ, આગમથી જ જ્ઞાન-ક્રિયાપ વ્યાપારમાં પ્રવૃત્તિ થાય છે. 1/37 પ્રતિપક્ષનુગુપ્સ - શ્રાવકોએ અશુભ મન-વચન-કાયાના યોગોનો ત્યાગ કરી અણુવ્રતાદિનો સ્વીકાર કરવાનો છે અને સ્વીકાર કર્યા પછી દરરોજ નવકાર મંત્રનું સ્મરણ આદિ દ્વારો વડે વ્રતોને સારી રીતે આરાધવાના છે. આમ, વ્રતધારી શ્રાવકે વ્રતોના પરિણામને પામવા હંમેશા આગમવચન અનુસાર પ્રયત્ન કરવો જોઈએ. વ્રતધારી શ્રાવકે હિંસાદિ પાપોનો દ્રવ્ય અને ભાવથી માત્ર ત્યાગ કરવાનો નથી. પરંતુ હિંસાદિપાપપ્રવૃત્તિકરનારાઓની પણ નિંદા કરવાની નથી, કારણકે નિંદા કરવાથી પરપરિવાદ દોષ લાગે. કહ્યું છે કે - “જો અન્ય લોકોની નિંદા કરવાથી સાધકના કાર્યો સિદ્ધ થતા હોય તો આલોકમાં સત્ય શૌચ બ્રહ્મચર્યાદિગુણોને પામવા કોને આદર થાય.”