________________ परिशिष्टम्-७ 314 કરવામાં સમર્થ બને તે વ્યસન મુક્તિની પ્રાપ્તિમાં વિઘ્ન કરે તે વ્યસન. અધ્યાત્મના માર્ગમાંથી બહાર ફેંકી દે તે વ્યસન. ૨૪/રૂ૭ ષાવિવ: - કષ - ઉત્તમ સુવર્ણની રેખા જેવી વિશિષ્ટશુભલેશ્યા. છેદ - સુવર્ણમાં રહેલો કચરો દૂર થવાથી સારભૂત સુવર્ણ રહે તે. તાપ - અપકારી પ્રત્યે પણ ક્રોધાદિવિકાર ન કરતા અનુકમ્પાની ભાવના. તાડના - જડ પદાર્થને તાડન કરવાથી તેમાં કોઈ વિકાર-અસર ન પેદા થાય તેમ ગમે તેવી ભયાનક આપત્તિ કષ્ટમાં પણ ચિત્તની નિશ્ચલતા. 24/42 મધુઃ - પ્રશમાદિગુણરહિત જે સાધુ માત્ર ભિક્ષાચર્યા કરે છે તે ખરેખર સાધુ નથી કારણકે મોક્ષ કાર્યનું તે કારણ નથી. 24/44 : સાધુ: માસુપરિદ્ધિસિદ્ધિઃ - આગમસૂત્રોમાં કહેલ યુક્તિઓ દ્વારા પૂર્વાપરવિરોધ ન આવે તે રીતે સાધુગુણો વર્ણવ્યા. તે ગુણોથી યુક્ત સાધુ જ મોક્ષ મેળવી શકે છે. કારણકે અત્યંતવિશુદ્ધગુણોની આરાધના દ્વારા જ મોક્ષ પ્રાપ્ત થાય છે પરંતુ દોષોને સેવનારો ગુણવગરનો ભાવસાધુ થતો નથી. કારણકે નિર્ગુણને ભાવસાધુ માનવામાં આવે તો તે ભાવસામાયિકને આરાધનારો થાય. આથી ગુણવાન અને નિર્ગુણ બંનેમાં ભાવસામાયિક માનવાથી ભાવસામાયિક સદોષ બનશે. માટે નિર્ગુણ ભાવસાધુ ન જ હોય. જેઓ સાધુગુણોને મોક્ષપ્રાપ્તિનું કારણ માને છે તેઓએ દોષોના ત્યાગ કરવા દ્વારા મોક્ષપ્રાપ્તિ સિદ્ધ કરવાની છે. ખરેખર જે કારણ ન હોય તે વાસ્તવમાં) કાર્યને ઉત્પન્ન કરવા સમર્થ બનતું નથી. જેઓ સાધુગુણોને મોક્ષનું મુખ્ય કારણ માને છે તેઓને જ અહીં ઉપદેશ અપાય છે માટે પ્રસ્તુત ચર્ચા સફળ છે. 24/46 માવતિઃ શનિ - 180OO, શીલાંગ પરસ્પર એકબીજાને સાપેક્ષપણે રહેલા છે. આથી જ એક અથવા ઘણા શીલાંગગુણોની પ્રાપ્તિ, ભાવથી સર્વવિરતિ વગર સંભવતી નથી. 24/46 ભાવપ્રથાના: સાધવા, ન વચ્ચે દ્રવ્યત્મિનિટ અઢાર હજાર શીલાંગરૂપ ગુણોને ધારણ કરનારા સાધુઓ ઉત્તમ ક્ષયોપશમભાવમાં રમતા હોય છે. આથી ભાવપ્રધાન સાધુઓ કહેવાય છે. સાધુ બનવા માત્ર વેશને ધારણ કર્યો છે અને શીલાંગગુણોની પ્રાપ્તિ દ્વારા શુભભાવને પામવાની અપેક્ષા પણ નથી એવા ભાવનિરપેક્ષ વેશધારી સાધુઓ મોક્ષ