________________ परिशिष्टम्-७ 306 છે. અર્થાત્ ભોજન કરવાથી કોઈ વિશેષ સાધનામાં પ્રગતિ ન થઈ. આથી, પચ્ચખાણના પરિણામનો અનુબંધ પામવા દરેક સાધકે ભોજન કર્યા પછી સ્વાધ્યાયાદિ વ્યાપાર કરવો જોઈએ. 6/1 માવશૂન્યમ્ - ઔદયિક ભાવમાં પ્રવર્તતા અજ્ઞાની સાધકનું ઉપશમાદિગુણોથી રહિત લાયોપથમિકભાવરહિત આચરણ ભાવશૂન્ય અનુષ્ઠાન કહેવાય. 6/24 ૩રતપ્રવૃત્તિતશ્ચRUપ્રતિપત્તિરૂપો ગુરુ: - પ્રતિમાપૂજા રૂપ દ્રવ્યસ્તવની આચરણામાં પણ ભગવાનની આજ્ઞા જ કારણભૂત છે. જિનાજ્ઞા પ્રમાણથી સિદ્ધ હોવાથી પ્રતિમાપૂજાનું વિધાન શ્રાવકોને કરે છે. જિનપૂજા સ્વરૂપથી સાવદ્ય હોવાથી આરંભાદિ પ્રવૃત્તિ કરનાર શ્રાવકોને જ તેના અધિકારી બનાવી પ્રવૃત્તિ કરાવે છે. જિનાજ્ઞાની પ્રમાણિકતાને દર્શાવનાર શાસ્ત્ર વિના તો જિનપૂજાની પ્રવૃત્તિ અપ્રવૃત્તિતુલ્ય જ ગણાય. જિનપૂજામાં પૃથ્વીકાયાદિ જીવોનો આરંભ થતો હોવા છતાં પણ તેને શાસ્ત્રમાં વર્ણવેલ હોવાથી વિહિત છે અર્થાત્ આચરવા યોગ્ય છે, નિર્દોષ છે. શાસ્ત્ર વચનો દ્વારા જ તે અનુષ્ઠાન આચરવાથી થતા લાભ અને તે અનુષ્ઠાન કરવામાં થતી વિરાધનાથી લાગતા દોષો - નુકશાનની તુલના કરી સિદ્ધિ કરવામાં આવે છે. એટલે કે જિનપૂજારૂપ દ્રવ્યસ્તવ કરવાથી શ્રાવક-સમકિતીજીવોને ચોક્કસ વિશિષ્ટ લાભ થાય છે. સર્વ પાપોનો ત્યાગ કરવાના સામર્થ્યવાળા સાધકો ભારતવરૂપ સર્વવિરતિ જ સ્વીકારે અને તેટલું સામર્થ્ય કે યોગ્યતા ન હોય તો દ્રવ્યસ્તવરૂપ જિનપૂજા આચરે. સંપૂર્ણ ભાવરૂવરૂપ જિનાજ્ઞાનું પાલન કરવામાં દ્રવ્યસ્તવ તેની અન્તર્ગત પ્રાપ્ત થતો હોવાથી સાધુઓને દ્રવ્યસ્તવ-જિનપૂજા કરવાની હોતી નથી. 6/40-42 પ્રતિમાપૂજારૂપ દ્રવ્યસ્તવની આચરણામાં પણ ભગવાનની આજ્ઞા જ કારણભૂત છે. પરંતુ જિનપૂજા (દ્રવ્યસ્તવ) સ્વરૂપથી સાવદ્ય હોવાથી આરંભાદિપ્રવૃત્તિ કરનાર શ્રાવકોને જ તેના અધિકારી માનવામાં આવ્યા છે. ફલતઃ સાધુને માત્ર ભાવપૂજા અને શ્રાવકોને દ્રવ્યપૂજાપૂર્વક ભાવપૂજા તેમજ ભાવવૃદ્ધિપરક દ્રવ્યપૂજા તેમ પરસ્પર ઉત્તમાદિગુણોની વૃદ્ધિ દ્વારા દ્રવ્યપૂજા કરવાનું વિધાન છે. 6/44 નનુ - અક્ષમાર્થે. 6/46 સુપરિશુદ્ધ - આજ્ઞાના પારતય વિનાનો તથા કુશલ અધ્યવસાય રહિત દ્રવ્યસ્તવ સુપરિશુદ્ધ બની શકતો નથી.