Book Title: Pal Pal Samaro Shri Navkar
Author(s): Naychandrasagar
Publisher: Agamoddharak Pratishthan
View full book text
________________
જ્જ લોક આખો ઝળહળી ઉઠે ધર્મના પ્રકાશ વડે !
≈ભવના ઘાટ ઉપર ઝીંકાતી સહુ જીવોની કાયા અશુભ ભાવના કલેશ રહિત બનો !
← પરમ કલ્યાણની પવિત્ર ગંગા લોકમાં સદા વહેતી રહો !
≈ વહાલા માનવોની પાપ પ્રતિકારની શક્તિ બુલંદી પર પહોંચો ! ક્ષુદ્ર વિચારોના વાડામાં પૂરાએલા બધા જીવો સવેળા મુક્ત થાખો ! ≈ સહુના પ્રાણોમાં પોકાર જાગો, દેવાધિદેવના દર્શનનો ! લોક સદા મધમધતો રહો સાધુતાની સુવાસ વડે ! લોક આખો સળવળી ઉઠો પરમાર્થ કાજે !
આત્માના શુભ ભાવનો મહાઘોષ લોક આખામાં ફરી વળો ! ≈ ન વરસો અકલ્યાણના કાળાં વાદળાં કોઈના જીવનમાં ! = જગતના બધા જીવો
પરમ કલ્યાણ પામો !
પરમ કલ્યાણ પામો !!
પરમ કલ્યાણ પામો !!!
આરાધક રહેજે સાવધાન
જાપ કરતી વખતે વિચારોનું તંત્ર ખળભળી ઉઠે તો તેનાથી ગભરાવવું નહી.
Jain Education International
કેમકે... અંતરની ભૂમિકામાં પડેલ અશુભ-રાગાદિના તત્વો જાપ શક્તિથી થરથરી ઉઠીને બહાર નીકળાવા મથે છે. તેથી વિચાર તંત્ર ડહોળાય છે; પરંતુ ત્યાં વિહવળ ન થવું, યોગ્ય ગુરુગમ દ્વારા માર્ગદર્શન મેળવીને સ્થિર થવું.
[૧૨૯]
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200