SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ જ્જ લોક આખો ઝળહળી ઉઠે ધર્મના પ્રકાશ વડે ! ≈ભવના ઘાટ ઉપર ઝીંકાતી સહુ જીવોની કાયા અશુભ ભાવના કલેશ રહિત બનો ! ← પરમ કલ્યાણની પવિત્ર ગંગા લોકમાં સદા વહેતી રહો ! ≈ વહાલા માનવોની પાપ પ્રતિકારની શક્તિ બુલંદી પર પહોંચો ! ક્ષુદ્ર વિચારોના વાડામાં પૂરાએલા બધા જીવો સવેળા મુક્ત થાખો ! ≈ સહુના પ્રાણોમાં પોકાર જાગો, દેવાધિદેવના દર્શનનો ! લોક સદા મધમધતો રહો સાધુતાની સુવાસ વડે ! લોક આખો સળવળી ઉઠો પરમાર્થ કાજે ! આત્માના શુભ ભાવનો મહાઘોષ લોક આખામાં ફરી વળો ! ≈ ન વરસો અકલ્યાણના કાળાં વાદળાં કોઈના જીવનમાં ! = જગતના બધા જીવો પરમ કલ્યાણ પામો ! પરમ કલ્યાણ પામો !! પરમ કલ્યાણ પામો !!! આરાધક રહેજે સાવધાન જાપ કરતી વખતે વિચારોનું તંત્ર ખળભળી ઉઠે તો તેનાથી ગભરાવવું નહી. Jain Education International કેમકે... અંતરની ભૂમિકામાં પડેલ અશુભ-રાગાદિના તત્વો જાપ શક્તિથી થરથરી ઉઠીને બહાર નીકળાવા મથે છે. તેથી વિચાર તંત્ર ડહોળાય છે; પરંતુ ત્યાં વિહવળ ન થવું, યોગ્ય ગુરુગમ દ્વારા માર્ગદર્શન મેળવીને સ્થિર થવું. [૧૨૯] For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004533
Book TitlePal Pal Samaro Shri Navkar
Original Sutra AuthorN/A
AuthorNaychandrasagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy