Book Title: Pal Pal Samaro Shri Navkar
Author(s): Naychandrasagar
Publisher: Agamoddharak Pratishthan
View full book text
________________
★
મનમથ મથે મનને ઘણું, સમો શ્રી નવકા૨, દફન થશે મનમથ તણું, વલી મરશે મનવિકાર.
અડસઠ તીરથથી થયો, મહામંત્ર નવકાર, કર્મ ખરી જાય તેહમાં, અને પામે અક્ષર ધામ.
★
અનંત ગુણનો વૃંદ છે, મહામંત્ર નવકાર, ગુણ તેના ગણતાં કદી, કોઈ ન પામે પાર. ★ વિકાર બાળે વિલાસ ટાળે મહામંત્ર નવકાર, સંયમ રોમે રોમે પ્રકટે, જીવનનો શણગાર.
* પ્રેમ પંથીઓ પ્રભુને પામે, જપતાં શ્રી નવકાર, હૃદય ગ્રંથીઓ તોડી કરીને, થાય નિગ્રંથ નરનાર.
મન વાણી કાયાને સાધે, મહામંત્ર નવકાર, આરાધે અંતરમાં જિનને જીતે આ સંસાર. * રાગદ્વેષ જીતીને જગવે, જ્ઞાનતણી ચીનગાર, કર્મઢગ દારૂ બાળે, મહામંત્ર નવકાર.
★
પરમ પ્રભુતા આલમ પામે, જપતાં શ્રી નવકાર, દીનતા લધુતા ટળે જીવનની, વામે સર્વ વિકાર.
શૂન્ય શિખર પર આસન વાળે, જપતાં શ્રી નવકાર, અવધુત યોગી થઈને આતમ, કરે પાપ પરિહાર.
★ સાધક શ્રદ્ધા રાખી જપજે, મહામંત્ર નવકાર, કાર્ય તારૂં સિદ્ધ થશે એ, અનુભવીનો પડકાર.
....(૪૫)
.....(૪૬)
....(૪૭)
.....(૪૮)
.....(૪૯)
.....(40)
.....(૫૩)
....(૫૪)
યોગી અલખના ઘડવૈયા, સુણજે મારી વાત, સદા સમરજે મહામંત્રને, તો લખીશ અલખની વાત......(૫૫)
* એકાગ્રતાની અગ્ની મહીં, કરે ઈન્દ્રિય વાસના હોમ, પછી જપો નવકારને, તો પ્રકટે સમતા સોમ.
રાગદ્વેષ જીતીને જગવે, માનવતા મનમાંય, જાપ જપતાં નવકારના, પામે શીતલ છાંય.
[૧૩]
Jain Education International
For Private & Personal Use Only
.....(49)
.....(૫૨)
...(૫૬)
....(૫૭)
www.jainelibrary.org
Page Navigation
1 ... 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200