Book Title: Nutan Shatrunjayoddhar tatha Mahtirthne Lagto Upayogi Sangraha
Author(s): Balchand Hirachand
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 56
________________ શત્રુદ્ધાર [૪૭] નવા આદેશ્વર ભગવાનના પ્રતિમાજીની વિકમના ૧૯ મા સૈકામાં સુરત નિવાસી તારાચંદ સંઘવીએ વસ્તુપાલ તેજપાળના મંદિરમાં પ્રતિષ્ઠા કરેલ છે, કારણ કે આ પ્રતિમાજીને જૂની દાદાની પ્રતિમાજીને સ્થાને પધરાવવા જતાં અંદરથી “મા મા” એ દવનિ થયે હતો. શ્રી શત્રુંજયની પાગ પાગ એટલે પગે ચાલીને શ્રી શત્રુંજય તીર્થ પર જવાને માર્ગ. મુખ્ય પાગઃ—જય તળાટીથી શરૂ થતાં રસ્તાને મુખ્ય પાગ કહેવામાં આવે છે. શેત્રુંજી નદીની પાગ –તળેટીના રસ્તા પર શ્રી કલ્યાણવિમળની દેરીની પડખેના રસ્તે થઈ બે ગાઉ દૂર શેત્રુજી નદી આવે છે, તેમાં સ્નાન કરીને આ રસ્તે શત્રુંજય પર ચઢાય છે. ઘેટીની પાગ –કંતાસરના મેદાનની પાસે નવ ટૂંકના રસ્તે જતાં આ રસ્તે આવે છે. નીચે ઉતરતાં એક મંદિર આવે છે, તેને ઘેટીની પાગનું મંદિર કહે છે. ફાગણ સુદ ૮ ને દિવસે યાત્રાળુઓ ખાસ કરીને ઘેટીની પાગના નીચેના મંદિરના દર્શન કરવા જાય છે, કેમકે ભગવાન આદીશ્વર ભગવાન આ રસ્તેથી પૂર્વ નવાણું કોડ વાર શ્રી શત્રુંજય પર ચઢયા હતા. બે યાત્રા કરવાના ઈરછુક યાત્રાળુઓ દાદાના દર્શન કરી આ પાગની યાત્રા કરે છે. ધનવસીની ટૂંક --(બાબુનું દેરું ) આ ટૂંકમાં મુખ્ય મંદિરમાં શ્રી આદીશ્વર ભગવાનની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86