Book Title: Neminath Stotra Sangraha
Author(s): Tirthbhadravijay
Publisher: Shraman Seva Religious Trust

View full book text
Previous | Next

Page 15
________________ १० પિસ્તાલીસમાં - શ્રીનેમિનાથસ્તવનમાં સ્તોત્રની રચના કમલબંધમય કરી છે. ♦ છેતાલીસ અને સુડતાલીસ આ બે સ્તોત્રમાં યમકાલંકારની પ્રકૃષ્ટ ગૂંથણી છે. અડતાલીસમાં પંચવર્ગપરિહારશ્રીનેમિનાથસ્તવ - આ સ્તોત્રમાં કર્તાએ વર્ગીય ૨૫ વ્યંજનનો ઉપયોગ કર્યા વગર માત્ર ય-૨-લ-વ-શ-ષસ-હ આ આઠ વ્યંજનનો ઉપયોગ કરી શ્રી નેમિનાથપરમાત્માની સ્તવના કરી છે. તેમાં પણ ૧૮ છંદોનું નિયોજન કર્યું છે, જે કર્તાની અસામાન્ય વિદ્વત્તા સૂચવે છે. • ઓગણપચાસમું - નૈમિજિનસ્તુતિ - આ સ્તોત્રની રચના એક ગૃહસ્થ કવિએ કરી છે. જેના ઉપર શ્રીરામચન્દ્રઋષિએ ટીકા રચી છે. ગૃહસ્થની રચના ઉપર એક સાધુ ટીકા લખે એના ઉપરથી સ્તોત્રની મહત્તા સમજાય છે. જૈનાચાર્યો અને મુનિભગવંતોમાં કાવ્યકલા-છંદ-અલંકારોનું પણ પણ કેટલું અગાઢ જ્ઞાન હતું તેમજ તેમના વિદ્વત્તા સભર વ્યક્તિત્વની ઓળખાણ આ સ્તોત્રોના અભ્યાસ ઉપરથી થાય છે. ઉપકારસ્મરણ : • વૈરાગ્યદક્ષ પ.પૂ.આ.હેમચન્દ્રસૂરીશ્વરજીમ.સા., પ.પૂ.જંબુવિજયજીમ.સા.ના શિષ્યરત્ન મુનિરાજશ્રી પુંડરીકરત્નવિજયજીમ.સા. તથા પ.પૂ.સોમચન્દ્રસૂરીશ્વરજીમ.સા.ના શિષ્યરત્ન મુનિરાજશ્રી સુયશસુજસચન્દ્રવિજયજીમ.સા. સ્તોત્રોની હસ્તપ્રતો મોકલી આપી.. પંડિતવર્ય શ્રી અમૃતભાઈ પટેલે સ્તોત્રો જોઈ આપ્યા.... • શ્રાવકવર્ય શ્રી બાબુભાઈ સરેમલ શાહ (બેડા-અમદાવાદ) તથા જયશ્રીબેનમહેશભાઈ શાહ (સુરેન્દ્રનગર) જેમણે સ્તોત્રોની હસ્તપ્રતકોપીઓ મેળવી આપી... Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 360