Book Title: Neminath Stotra Sangraha
Author(s): Tirthbhadravijay
Publisher: Shraman Seva Religious Trust

View full book text
Previous | Next

Page 14
________________ • અગ્યારમાં - જ્ઞાનપશ્ચમીસ્તવનયુક્તમ્ નેમિનાથસ્તવનમ્ - આ સ્તોત્રમાં કર્તાએ જ્ઞાનના પાંચ ભેદના પાંચના અંકને પકડી વિવિધ પદાર્થોનું વર્ણન કર્યું છે. સોલમાં - નેમિનાથજન્માભિષેકસ્તોત્રમાં કર્તાએ ચતુર્વિધસંઘનું ટૂંકુ વર્ણન કર્યું છે. ૭ ઓગણીસમાં - ઉજ્જયન્તાચલમણ્ડનનેમિજિનદ્વાત્રિંશિકા - આ સ્તોત્રમાં કર્તાએ અદ્ભુત ઉત્પ્રેક્ષાઓ દ્વારા પ્રભુ પ્રત્યે પોતાના હૃદયગત ભાવોની અભિવ્યક્તિ કરી છે. તેમજ પ્રભુના ધ્યાનથી પ્રાપ્ત થતા આનંદની ઉત્કૃષ્ટ ગરિમા દર્શાવી છે. ♦ બાવીસમાં - નેમિનાથશતકસ્તોત્રમાં શૃંગા૨૨સની પ્રધાનતા હોવા છતાં વિયોગજન્ય વિલાપો દ્વારા કરુણરસનું નિરૂપણ કરી તેની સમાપ્તિ કરવામાં આવી છે. પ્રસ્તુત શતકમાં શાર્દુલ - સ્રગ્ધરાચિત્રમાલા-પ્રહર્ષિણી-દ્રુતવિલમ્બિત-પુષ્પિતાગ્રા-મન્દાક્રાન્તા-વસન્તતિલકા અને ઉપજાતિ જેવા અનેક છંદો પ્રયોજેલા છે. • અઠ્યાવીસમાં - રૈવતગિરિમણ્ડનનેમિનમસ્કારસ્તોત્રમાં (રચના સં. ૧૩૮૯) નેમિનાથ ભગવાનના ત્રણ કલ્યાણક સ્થળ વિશે ઐતિહાસિક માહિતી પ્રાપ્ત થાય છે. - પાંત્રીસમાં – ક્રિયાગુપ્તનેમિજિનસ્તોત્રમાં ક્રિયાપદ ગુપ્ત રાખેલ છે. કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચંદ્રસૂરિજી દ્વારા વિરચિત વીતરાગસ્તોત્રની સાથે આ સ્તોત્ર સાદશતા ધરાવે છે. • છત્રીસ અને સાડત્રીસમાં બે સ્તોત્ર પાદપૂર્તિસ્વરૂપ છે. પાદપૂર્તિ એક સુંદર કાવ્ય પ્રકાર છે. - • આડત્રીસમાં – વિવિધ છન્દોનામગર્ભનેમિજિનસ્તોત્રમાં કર્તાએ વિશિષ્ટ વિવિધ છંદોની રચના સાથે અલંકારની આકર્ષક ગૂંથણી કરેલી છે. છંદના અભ્યાસીવર્ગ માટે ઉપયોગી બને તેમ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 360