Book Title: Namokar maha mantra
Author(s): Ratanchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 27
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates : ૨૩ : પામેલ સિદ્ધ ભગવાનને અમારા નમસ્કાર હો.” (મોક્ષમાર્ગ પ્રકાશક), ઉપર કહેલ વ્યાખ્યામાં સિદ્ધોનાં સ્વરૂપનું ધ્યાન કરતાં મુખ્યરૂપથી નીચે મુજબ ચાર વાત કહેલ છે. : (૧) પહેલા ત્રણ વાક્યોમાં સિદ્ધપદ પ્રાપ્ત કરવાની પ્રક્રિયાનું વર્ણન કરેલ છે. (૨) ત્યાર પછી પાંચ વાક્યોમાં પ્રતિપક્ષી કારણોનો અભાવ થવાના કારણે પ્રાપ્ત થતી સ્વભાવ ઉપલબ્ધિની ચર્ચા કરેલ છે. (૩) ત્યારબાદ બે વાક્યોમાં કહેલ છે કે સિદ્ધોનું ધ્યાન ભવ્ય જીવોને સ્વયં સિદ્ધ બનવામાં સાધન છે. (૪) અને અંતમાં કહેલ છે કે સિદ્ધ ભગવાન પોતાના શુદ્ધ સ્વભાવને દર્શાવવા માટે એક સ્વચ્છ પ્રતિબિંબ છે. સાર એ છે કે જે જીવ સિદ્ધોના સ્વરૂપના ધ્યાનથી પોતાના સ્વરૂપને ઓળખી સિદ્ધો સમાન મોક્ષમાર્ગ ઉપર અગ્રસર થઇ પોતાના પ્રતિપક્ષી કર્મોનો અભાવ કરે છે. એમના સંપૂર્ણ આત્મિક ગુણ પ્રગટ થઇ જાય છે, જેનાથી તે અનંતકાળ સુધી અતીન્દ્રિય બાધા રહિત સુખ ભોગવે છે. જો અતિ સંક્ષેપમાં સિદ્ધોનું સ્વરૂપ યાદ રાખવું હોય તો આચાર્ય નેમિચંદ સિદ્ધાંત ચક્રવર્તીની ગાથાનું સ્મરણ કરવું જોઇએ. જે આ પ્રકારે છે : “ણિકમ્મા અઠગુણા, કિંચૂણા ચરમદેહદો સિદ્ધા; લોયગ્ગાઠિદો સિચ્ચા ઉપ્પાદવએહિં મુંજત્તા.” (બૃહદ દ્રવ્ય સંગ્રહ, ગાથા-૧૪) સિદ્ધ ભગવાન કર્મોથી રહિત છે. આઠગુણો ના ધારક છે. અંતિમ શરીરથી કાંઇક ઓછા આકારવાળા છે, લોકના અગ્ર ભાગમાં સ્થિત છે. નિત્ય છે અને ઉત્પાદ- વ્યયથી યુક્ત છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84