Book Title: Namokar maha mantra
Author(s): Ratanchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 69
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates : ૬૫ : આત્માઓનો સત્કાર કરવામાં આવે તે મંત્ર છે.” અહીં જાણવામાં આવે છે કે મંત્રની ઉ૫૨ મુજબ ત્રણેય વ્યાખ્યાઓમાં આત્મા પરમાત્માની જ મુખ્યતા છે. એટલે એને લૌકિક પ્રયોજનોથી જોડવું યોગ્ય નથી. આ પ્રકારે મંત્રની ઉપર મુજબ ત્રણે વ્યુત્પત્તિ૫૨ક વ્યાખ્યાઓની કસોટી ઉ૫૨ ણમોકાર મંત્ર સાચો ઉતરે છે, કેમ કે પહેલા તો આ મંત્ર દ્વારા આત્માનો નિજાનુભવ થાય છે. અથવા આત્માનું સ્વરૂપ જણાય છે. બીજું, પંચપરમેષ્ઠીના સ્વરૂપના વિચારના માધ્યમથી આત્માના સ્વરૂપનું જ્ઞાન થાય છે. અને ત્રીજું, આ મંત્ર દ્વારા પરમપદમાં સ્થિત પંચપરમેષ્ઠીનો સત્કાર કર્યો છે. મંત્ર માત્ર કોઇ સ્વર વિશેષમાં શબ્દોનો અથવા ધ્વનિઓનું ઉચ્ચારણ નથી, અને ન તો માત્ર વિચારને જ મંત્રની સંજ્ઞા આપી શકાય છે. મંત્ર ધ્વનિ અને જ્ઞાનાનુભૂતિ નુ એ સુંદર સમાયોજન છે, જે સ્મરણ કર્તા અથવા જાપ કરવાવાળા ઉપર પોતાની એક અભીટ છાપ છોડી દે છે. શાબ્દિક ધ્વનિઓ મંત્રનું શરી૨ છે અને જ્ઞાનાનુભૂતિ એનો આત્મા છે. પં. જયચન્દજી છાબડાએ ઉપર મુજબ પઘમાં બ્રહ્મ અને પરબ્રહ્મમાં આ પ્રકારનો વાચક-વાચ્ય સંબંધ સ્વીકાર કર્યો છે. જેવી રીતે ચેતનથી શૂન્ય શરીર કેવળ મરેલું છે, એવી રીતે ભાવશૂન્ય શબ્દોનું પણ કાંઇ મૂલ્ય હોતું નથી. કલ્યાણ મન્દિર સ્તોત્રમાં પણ કહેલ છે: 66 યસ્માત્ ક્રિયા પ્રતિફલન્તિ ન ભાવ શૂન્યઃ ભાવ શૂન્ય ક્રિયાઓ ફલદાયક હોતી નથી. માત્ર શબ્દોના મૂળમાં એવી કોઇ ચમત્કારિક શક્તિ નથી, જેનો વિસ્ફોટ પાપોને ભસ્મ કરી દે. અથવા એવા વિદ્યુત તરંગો નથી જે અણજાણને ,, Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84