Book Title: Namokar maha mantra
Author(s): Ratanchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 74
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates : ૭૦ : દ્રવ્યશ્રુત અને ણમોકાર મંત્ર દેવયોગથી આ પણ એક સહજ સંયોગ જ સમજવો જોઇએ કે આ મહામંત્રની શાબ્દિક સંરચના પણ આ પ્રકારની સંગઠીત થઇ છે કે જેમાં દ્રવ્યશ્રુતના બધા વર્ણ (અક્ષર) આવી જાય છે. પ્રાકૃત ભાષાનાં નિયમાનુસાર તો આ મહામંત્રમાં આ ભાષાના ચારે મૂળ સ્વર (અ, ઇ, ઉ અને એ) અને બાર વ્યંજન (જ, ઝ, ણ, ત, દ, ધ, ય, ૨, લ, વ, સ, અને હું) નિહિત જ છે, સંસ્કૃત વર્ણ માળા અનુસાર પણ “અહંતાણું” ના “અહું” પદમાં વર્ણમાળાના પ્રારંભિક “અ” તેમજ અન્તિમ વર્ણ હું વર્ણ આવી જવાથી સંપૂર્ણ વર્ણમાળાનું પ્રતિનિધિત્વ થઇ જાય છે. આના સિવાય આ મહામંત્રમાં પાંચ પદ અને એ પાંચ પદોમાં પાંત્રિસ અક્ષર છે. પહેલા ણમો અરિહંતાણં પદમાં ૭, બીજા રૂમો સિદ્ધાણંમાં ૫, ત્રીજા ણમો આઇરિયાણમાં ૭, ચોથા ણમો ઉવજ્જાયાણ માં ૭ અને પાંચમા ણમો લોએ સવ્વ સાહૂણં માં ૯ અક્ષર છે. આ પ્રકારે કુલ ૭ + ૫ + ૭ + ૭ + ૮ = ૩૫ અક્ષર થયા. એમાં ૩૦ તો સ્વરસંયુક્ત વ્યંજન છે અને પ સ્વતંત્ર સ્વર છે. એના સ્વર તેમજ વ્યંજનોનું વિશ્લેષણ કરીને જોઇએ તો એમાંથી મંત્રશાસ્ત્રના વ્યાકરણના નિયમાનુસાર પહેલા પદના અરહંતાણં ને “અ” નો લોપ થઇ જાય, એટલે સ્વર ૩૪ તેમજ વ્યંજન ૩૫, કુલ મળીને આ મંત્રમાં ૬૪ અક્ષર થાય છે અને પૂરી વર્ણમાળામાં પણ ૬૪ અક્ષર થાય છે. આ પ્રકારે વર્ણમાળાની સંખ્યાની અપેક્ષાએ પણ આ મહામંત્રમાં દ્રવ્યશ્રતની પૂરી વર્ણમાળા આવી જાય છે. એટલે દ્રવ્યશ્રતની પૂર્ણમાળાની દષ્ટિએ પણ ણમોકાર મંત્રનો જાપ કરવાથી દ્વાદશાંગનો પરાયણ (પાઠ) થઇ જાય છે. આ અપેક્ષાએ પણ Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84