Book Title: Namokar maha mantra
Author(s): Ratanchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 76
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates : ૭૨ : “ ઉપસંહાર ” સંપૂર્ણ જૈન સમાજમાં સર્વાધિક શ્રદ્ધાસ્પદ, કરોડો કંઠેથી દરરોજ અનેકાનેક વા૨ ઉચ્ચારિત આ ણમોકાર મહામંત્રમાં સીધા-સાદા અનલંકૃત શબ્દોમાં વીતરાગી પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરેલ છે ન તો તેમાં બીજાક્ષરોનો પ્રયોગ છે અને ન તો કાંઇ ગંભીર પણ છે. બધું એકદમ સ્પષ્ટ છે. લૌકિક કામનાઓના લોલુપી, ચમત્કાર પ્રિય, જગતને એવું લાગે છે કે આ કેવો મહામંત્ર છે, જેમાં ન તો ૐ હ્લ હૈં વગેરે બીજાક્ષરોની ઘટપટ છે. અને ન સંકટોનો ઉપાય તેમજ સંપત્તિઓની પ્રાપ્તિની વિચારણા છે. સર્વસુલભ આ મહામંત્રમાં એવું શું છે, જેના કારણે આ સાધારણ જેવું મંગલાચરણ સર્વમાન્ય મહામંત્ર બની ગયું કરોડો-કરોડો કંઠોનો કંઠહાર બની ગયો? એ તો પહેલા જ સ્પષ્ટ થઇ ગયું છે કે આ મહામંત્રની સરળતા, સહજગ્રાહ્યતા તેમજ નિષ્કામ વન્દના જ આની મહાનતાનું મૂળ કારણ છે. માત્ર મહામંત્રની જ નહિ, પણ સંપૂર્ણ વીતરાગી જૈન દર્શનની પણ આ મહાનતા છે કે એ ઇચ્છાઓની પૂર્તિમાં નહિં. નાશમાં આનંદ માને છે; વિષય ભોગોની ઉપલિબ્ધિમાં નહિ, ત્યાગમાં આનંદ માને છે. જગતના સહજ સ્વાભાવિક પરિણમનને વસ્તુનો સ્વભાવ માનવાવાળા અકર્તાવાદી જૈન દર્શનમાં ચમત્કારોનું કોઇ સ્થાન નથી. વીતરાગી પંચ પરમેષ્ઠીઓના ઉપાસક સાચા જૈન વીતરાગી ભગવાન પાસેથી વીતરાગતા સિવાય બીજું કશું નથી ચાહતા– જૈન દર્શનનું આ પરમ સત્ય જ મહામંત્રમાં પ્રગટ થાય છે. આ મહામંત્રની મહિમાવાચક જે સર્વાધિક પ્રાચીન તેમજ સર્વાધિક પ્રચલિત ગાથા પ્રગટ છે, એમાં પણ આ કહ્યું છે કે, આ મહામંત્ર બધા પાપોનો નાશ કરવાવાળો અને બધા મંગળોમાં પહેલો મંગળ છે. આ ગાથામાં Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84