Book Title: Namokar maha mantra
Author(s): Ratanchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 83
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates * આ પુસ્તક સર્વ સાધારણ જન સમાજને ‘ણમોકાર મહામન્ત્ર' વિશે જાણવા અત્યન્ત ઉપયોગી છે. લેખકશ્રી ભારિલ્લજીની સમજાવવાની શૈલી સારી છે. જે કંઇ પણ લખ્યું છે તે આગમોના આધારથી લખ્યું છે. જિન-પૂજન રહસ્ય પ્રકાશનની માફક આ પુસ્તક પણ અત્યન્ત લોકપ્રિય થશે. - ડો. રમેશ જૈન, સમ્પાદક પાર્શ્વજ્યોતિ, બિજનૌર. * ણમોકા૨ મન્ત્ર ૫૨ સર્વાંગીણ અધ્યયન પ્રસ્તુત કરવાવાળું સરળ ભાષામાં આ એક ઉપયોગી પુસ્તક છે. જેમાં ણમોકા૨ મન્ત્ર તથા પંચ પરમેષ્ઠીનાં સ્વરૂપનું વિસ્તારથી વિવેચન કર્યું છે. સાથે સાથે મન્ત્રનું મહાત્મ્ય, શબ્દ શક્તિ, પાઠભેદ વગેરે પહેલુઓ ઉપર પણ સારું વિવેચન કર્યું છે. અંધ શ્રદ્ધા તથા પ્રચલિત ભ્રાન્તિઓ દૂર કરતાં વિષય વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ સમજાવવાનો આ પુસ્તકમાં સુંદર પ્રયત્ન કર્યો છે. લઘુકાય એવું આ પ્રકાશન અત્યન્ત ઉપયોગી છે. જૈન જગત (માસિક) જાન્યુઆરી ૧૯૮૮. *ણમોકા૨ મહામન્ત્ર એવું પ્રકાશન છે જે આબાલ-વૃદ્ધ દરેકે મનોયોગ પૂર્વક વાંચવું જોઇએ. પુસ્તકમાં મહામન્ત્રનું મહાત્મ્ય બતાવતાં ‘સર્વ પાપેઃ પ્રમુચ્યતે ’ નુ ટીકા સાથે સ્પષ્ટીકરણ કર્યું છે જે ખરેખર ધ્યાન દેવા યોગ્ય છે. , – પ્રો. ઉદયચંન્દ્ર જૈન, સર્વદર્શનાચાર્ય, વારાણસી. * પં. રતનચન્દ ભારિલ્લજીએ, ણમોકાર મંન્ત્ર ૫૨ સર્વાંગીણ વિવેચન કરીને એક આવકાર દાયક કાર્ય કર્યું છે. જેનાથી આ મંત્ર સંબંધી ભ્રાન્તિઓ દૂર થશે તથા સમ્યબોધ પણ થશે. — સુર્દશનલાલ જૈન, રીડર સંસ્કૃત વિભાગ બી. એચ.,વારાણસી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 81 82 83 84