Book Title: Namokar maha mantra
Author(s): Ratanchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 70
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates : ૬ : પણ વિદ્યુત કરન્ટની માફક સ્પર્શ માત્રથી પ્રભાવિત કરી શકે. જેવી રીતે આમલીના સ્વાદથી પરિચિત વ્યક્તિનાં મોઢામાં આમલીના નામ સાંભળવાથી પાણી આવી શકે. પરંતુ જેણે કોઇપણ આમલી ચાખી પણ ન હોય, તે કેટલું પણ આમલીનું નામ બોલે કે સાંભળે, તેના મોઢામાં પાણી નહિ આવે. એવી જ રીતે જેને ણમોકાર મંત્રના વાચ્ય પરમેષ્ઠીનું સ્વરૂપ ધ્યાનમાં હોય તેનું હૃદય કમળ જ ણમોકાર મંત્રને સાંભળવાથી ખીલી ઊઠે છે, બીજાનું નહિ. ઘણા લોકો કહે છે કે ણમોકાર મંત્રને વારંવાર વાચવાથી તેની શબ્દ-શક્તિ બેટરીની માફક રિ-ચાર્જ થઇ જાય છે અને એમાં બીજાને પ્રભાવિત કરવાની અદ્ભુત ક્ષમતા આવી જાય છે. પણ એનો શબ્દાર્થ નહી અભિપ્રાય ગ્રહણ કરવો જોઇએ. આ કથનનો પણ આજ અભિપ્રાય છે કે જયારે ણમોકા૨ મંત્રને વારંવાર બોલવામાં આવે છે ત્યારે નિશ્ચિત જ બોલાવાવાળાના આત્મામાં તેના માધ્યમથી પંચપરમેષ્ઠીના સ્વરૂપની ધારણા મજબુત થઇ જાય છે. ખાલી શબ્દોની એવી કોઇ સ્વતંત્ર શક્તિ નથી, જે ૫૨ ને પ્રભાવિત કરી શકે. હા, નિમિત્ત-નૈમિત્તિક સંબંધ અવશ્ય છે, તો તેમાં નૈમિત્તિકની પણ પોતાની સમજરૂપ પોતાની યોગ્યતા અને એ રૂપ પરિણમવાની શક્તિ હોય છે, ત્યારે મંત્રની શક્તિ શક્તિરૂપમાં ગતિમાન થઇને સાર્થક સિદ્ધ થાય છે. ખરેખર વાચ્યરૂપ પંચપરમેષ્ઠીની મહિમા અને શક્તિથી પણ વાચક ણમોકાર મંત્રની મહિમા અને શક્તિ માપી શકાય છે. પંચ પરમેષ્ઠીની મહિમાથી જ ભગવાન બનાય છે તો પંચપરમેષ્ઠી રૂપ પરબ્રહ્મના વાચક શબ્દ શબ્દ બ્રહ્મ ” સંજ્ઞાને પ્રાપ્ત કેમ ન કરી શકે? 66 અર્થાત્ કરી શકે જ... *** Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84