Book Title: Namokar maha mantra
Author(s): Ratanchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 30
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates :૨૬: નાં નિમિત્ત બને છે પરંતુ ત્યાં કંઇપણ સુખદુ:ખ જે માનતા નથી તથા પોતાને યોગ્ય બાહ્ય ક્રિયા જેમ બને છે તેમ બને છે પરંતુ તેની ખેચાતાણી જે કરતા નથી, પોતાના ઉપયોગને જેઓ બહુ ભમાવતા નથી, પણ ઉદાસીન થઇ નિશ્ચલ વૃત્તિને ધારણ કરે છે, કદાચિત્ મંદ રાગના ઉદયથી શુભોપયોગ પણ થાય છે જે વડે તે શુદ્ધોપયોગનાં બાહ્ય સાધનો છે તેમાં અનુરાગ કરે છે, પરંતુ એ રાગભાવને પણ હૈય જાણી દૂર કરવા ઇચ્છે છે, તીવ્રકષાયના ઉદયના અભાવથી હિંસારૂપ અશુભોપયોગ પરિણિતનું તો અસ્તિત્વ જ જેને રહ્યું નથી એવી અંતરંગ અવસ્થા થતાં બાહ્ય દિગંબર સૌમ્ય મુદ્રાધારી થયા છે, શરીર સંસ્કારાદિ વિક્રિયાથી જેઓ રહિત થયા છે, વનખંડાદિ વિષે જેઓ વસે છે, અઠ્ઠાવીસ મૂલગુણોને જેઓ અખંડિત પાલન કરે છે, બાવીસ પરિષહને જેઓ સહન કરે છે, બાર પ્રકારના તપને જેઓ આદરે છે, કદાચિત ધ્યાન મુદ્રાધારી પ્રતિમાવત નિશ્ચલ થય છે, કદાચિત અધ્યયાનાદિક બાહ્ય ધર્મ ક્રિયાઓમાં પ્રવર્તે છે, કોઇ વેળા મુનિધર્મને સહકારી શરીરની સ્થિતિ અર્થે યોગ્ય આહાર વિહારાદિ ક્રિયામાં સાવધાન થયા છે. એ પ્રમાણે જેઓ જૈનમુનિ છે તે સર્વની એવી જ અવસ્થા છે. (મોક્ષ માર્ગ પ્રકાશક) એમના સમતાભાવ અને એનાથી પ્રાપ્ત થતા અતીન્દ્રિય આનંદનું ચિત્રણ પંડિત દૌલતરામજીએ આ પ્રકારે કરેલ છે: “અરિ-મિત્ર મહલ-મસાન કંચન-કાચ નિન્દન-શ્રુતિકરન, અર્ણવતારન અસિપ્રહારન મેં સદા સમતા ધરન. યો ચિન્ત્ય નિજમેં થિર ભયે તિન અકથ જો આનંદ લહ્યો, સો ઇન્દ્ર નાગ નરેન્દ્ર વાઅમિન્દ્ર ૐ નાહીં કહ્યો . (છઠ્ઠ ઢાળા, છઠ્ઠી ઢાળ, છન્દ - ૧૧ ) સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે અરહંત અને સિદ્ધની સમાન સાધુનું સ્વરૂપ જાણવું પણ આવશ્યક છે. સાધુના સ્વરૂપને જાણવા અત્યન્ત સાવધાનીની Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84