Book Title: Namokar maha mantra
Author(s): Ratanchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 42
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates : ૩૮: (૧૪) લોક બિન્દુસાર પૂર્વ - ચૌદ પૂર્વ છે. અગિયાર અંગ અને ચૌદ પૂર્વ મળીને ઉપાધ્યાય પરમેષ્ઠીના ૨૫ મૂળગુણ હોય છે. ઉપર મુજબની વ્યાખ્યામાં ઉપાધ્યાયના સ્વરૂપને સ્પષ્ટ કરતાં નીચે મુજબ કથનોની તરફ અમારું સ્પષ્ટ ધ્યાન આકર્ષિત કરેલ છે. : પહેલા તો ઉપાધ્યાય પરમેષ્ઠી અંતરંગ અને બહિરંગ રત્નત્રયના ધારી હોય છે. બીજું, એ જિનેન્દ્ર - કથિત તત્ત્વાર્થના ઉપદેશક હોય છે. ત્રીજું – એ મુખ્યરૂપે તો દ્વાદશાંગરૂપ દ્રવ્ય શ્રુતનાપાઠી હોય છે. પણ એ જરૂરી નથી કે બધાં ઉપાધ્યાય દ્રવ્ય શ્રુતરૂપ દ્વાદશાંગના પાઠી જ હોય. ભાવશ્રુતજ્ઞાન તો તેનું દ્વાદશાંગરૂપ જ છે, પણ સંપૂર્ણ દ્રવ્યકૃતના જાણકાર હોવાનો નિયમ નથી. ચોથી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે એ મુખ્ય રૂપથી તો બધાં શાસ્ત્રો ના સારરૂપ નિજાત્મદ્રવ્યમાં જ મગ્ન રહે છે. કોઈ કોઈ વાર કપાયાંશના ઉદયથી જો ત્યાં ઉપયોગ સ્થિર ન રહે તો એ શાસ્ત્રોનો પોતે અભ્યાસ કરે છે અને બીજાને ભણાવે છે. તાત્પર્ય એ છે કે ઉપાધ્યાય પરમેષ્ઠી પણ પૂર્ણ સ્વાધીન અને સ્વાવલમ્બી છે. એમનું શિષ્યોને ભણાવવું ભારરૂપ નથી હોતું. જો કે એમનું બધુ કામ સ્વાન્તઃ સુખાય હોય છે, પણ એમાં શિષ્યોનું હીત પણ નિહિત (ગર્ભિત) હોય છે. સર્વે ઉપાધ્યાય પરમેષ્ઠીને નમસ્કાર | Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84