Book Title: Namokar maha mantra
Author(s): Ratanchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 66
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates : ૬૨ : કરવામાં આવે, પછી ઉપાધ્યાય અને ત્યારબાદ આચાર્ય પરમેષ્ઠી ને નમસ્કાર હોવા જોઇતા હતા, પણ એવો પદક્રમ કેમ ન રાખવામાં આવ્યો? ઉપર મુજબની શંકા ઉપર વિચાર કરવાથી એવું લાગે છે કે આ મહામંત્રમાં પરમેષ્ઠીઓને રત્રય ગુણની પૂર્ણતા અને અપૂર્ણતાના કારણે બે ભાગોમાં વિભાજીત કરેલા છે. પહેલા વિભાગમાં અરહંત અને સિદ્ધ છે. બીજા વિભાગમાં આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ છે. પહેલા વિભાગના પરમેષ્ઠીઓમાં રત્નત્રય ગુણની ન્યૂનતાવાળા પરમેષ્ઠીને પહેલા અને રત્નત્રય ગુણની પૂર્ણતાવાળા પરમેષ્ઠીને પછી રાખવામાં આવે છે. આ ક્રમાનુસાર અરહંત ને પહેલા અને સિદ્ધને પછી પઠિત કર્યા છે. બીજા વિભાગના પરમેષ્ઠીઓમાં પણ આ ક્રમ છે. આચાર્ય અને ઉપાધ્યાયની અપેક્ષા મુનિનું સ્થાન ઊંચું છે, કેમ કે ગુણસ્થાન- આરોહણ મુનિપદથી જ થાય છે, આચાર્ય અને અને ઉપાધ્યાય પદથી નહિં. અને આ કારણ છે કે અંતિમ સમયમાં આચાર્ય અને ઉપાધ્યાય ને પોત – પોતાના પદ છોડીને મુનિ પદ ધારણ કરવું પડે છે. મુક્તિ પણ મુનિ પદથી જ થાય છે અને રત્નત્રયની પૂર્ણતા આ પદમાં સંભવ છે. એટલે બંને વિભાગોમાં શ્રેષ્ઠ આત્માઓને પાછળથી પાઠ કરાવવામાં આવ્યો છે. એક બીજું સમાધાન એ પણ છે કે જે પ્રકારે પહેલા વિભાગના પરમેષ્ઠીઓમાં ઉપકારી પરમેષ્ઠીને પહેલા રાખ્યા છે, તેવી રીતે બીજા વિભાગના પરમેષ્ઠીઓમાં પણ ઉપકારી પરમેષ્ઠીને પહેલું સ્થાન આપેલ છે. આત્મ કલ્યાણની દૃષ્ટિએ સાધુ પદ ઉત્તમ છે, પણ લોકોપકારની દષ્ટિથી આચાર્ય પદ શ્રેષ્ઠ છે. આચાર્ય સંઘના વ્યવસ્થાપક જ નથી હોતા, પણ પોતાના સમયના ચતુર્વિધ સંઘના રક્ષણની સાથે ધર્મ-પ્રસાર તેમજ ધર્મપ્રચારનું કાર્ય પણ કરે છે. ધાર્મિક દ્રષ્ટિથી ચતુર્વિધ સંઘની બધી વ્યવસ્થા તેમના ઉપર રહે છે. તેઓ લોક વ્યવહારના જાણકાર પણ હોવા જોઇએ, જેથી લોકમાં તીર્થકર દ્વારા પ્રવર્તિત ધર્મનું ભવિભૉતિ સંરક્ષણ કરી શકે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84