Book Title: Namokar maha mantra
Author(s): Ratanchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 48
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates : ૪૪: દોષોની આલોચના દ્વારા પરિત્યાગ (નાશ) કરવો તે પ્રતિક્રમણ છે. દ્રવ્ય ક્ષેત્રે કાલે ભાવે ચ કૃતાપરાધશોધનકે, નિંદન”હણયુક્તો મનોવચ: કાન પ્રતિક્રમણ.” ( મુલચાર શાસ્ત્ર ૨૮) (૫) વાંચવું, પૂછવું, અનુપ્રેક્ષ તે આમનાય અને ધર્મોપદેશરૂપ શાસ્ત્રોનું અધ્યયન અને આત્મચિંતન તે સ્વાધ્યાય છે. (૬) નિત્ય તેમજ નૈમિત્તિક કિયાઓમાં જિનેન્દ્ર દેવના ગુણોનું સ્મરણ કરતાં જે શરીરના પ્રત્યે મમત્વનો ત્યાગ થાય છે, એને કાર્યોત્સર્ગ કહે છે. દૈવસિકનિયમાદિષુ યથોકતમાનેન ઉકતકાલે, જિનગુણચિંતનયુક્તઃ કાયોત્સર્ગ સ્તનુ વિસર્ગ. (મુલચાર શાસ્ત્ર ૩૦) અહીં સ્તવન અને વંદનાનાં સંબધમાં ધ્યાન દેવા જેવી વાત એ છે કે સ્તવનમાં તો ઋષભ વગેરે ચોવીસ તીર્થંકરોના વ્યક્તિગત નામના ઉચ્ચારણ પૂર્વક એમના ગુણોની સ્તુતિ કરવામાં આવે છે. અને વંદનામાં અરહંત સિદ્ધોની પ્રતિમાના માધ્યમથી તેમજ આચાર્ય વગેરેના વિશેષ ગુણોના સ્મરણ કરતાં નમન કરવામાં આવે છે. એકમાં વ્યક્તિ વિશેષની મુખ્યતા છે અને બીજામાં કોઇ વ્યક્તિ વિશેષ નહીં-- -પણ ગુણો અથવા પદ- વિશેષની મુખ્યતાથી સ્તુતિ કરવામાં આવે છે. આ સિવાય મુનિના નીચે મુજબ સાત મુળગુણ બીજા હોય છેઃ – (૧) સ્નાનનો ત્યાગ, (૨) દંતધાવનનો ત્યાગ, (૩) જમીન ઉપર એક પાસાથી રાત્રિના છેલ્લા પહરમાં અલ્પ નિંદ્રા લેવી (૪) વસ્ત્રનો સર્વથા ત્યાગ (૫) કેશલોચન કરવા, (૬) ત્રણ ઘડી દિવસ નિકળ્યા પછી ને ત્રણ ઘડી બાકી રહે તે પહેલા એક વાર આહાર લેવો (૭) ઉભા-ઉભા હાથને જ પાત્ર બનાવી અર્થાત્ હાથની આંગળીઓમાં જ અલ્પ આહાર લેવો. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84