Book Title: Mokshmargna Pagathiya
Author(s): Shrimad Rajchandra, T U Mehta
Publisher: Umedchand and Kusumbaben Charitable Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 6
________________ નમ્રતાની પરાકાષ્ઠા અનુભવગમ્ય વિષયોને શબ્દગમ્ય બનાવવા એ તો શ્રીમદ્ રાજચંદ્રની સહજ લીલા હતી. સૂક્ષ્માતિસૂક્ષ્મ વિષયને સુલલિત, પ્રાસાદિક અને છતાંયે વૈજ્ઞાનિક સુરેખ ભાષામાં વ્યક્ત કરવો તેમને માટે સહજ હતું. આત્માર્થીની સ્વરૂપ-સાક્ષાત્કાર માટેની તાલાવેલી, પોતાની મર્યાદાઓનું સ્પષ્ટ ભાન, પ્રભુકૃપામાં અવર્ણનીય શ્રદ્ધા અને ખમી૨વંતા પુરુષાર્થ માટેની તત્પરતા, એનાં કેવાં સુભગ દર્શન - ‘અપૂર્વ અવસર’માં થાય છે ! વીતરાગ દશાની ઉપલબ્ધિ માટે કાયા વાચા મનસા શુદ્ધીકરણની જે સાધના કરવી અનિવાર્ય છે તેનો કેવો છટાદાર નિર્દેશ આ કાવ્યમાં જોવા મળે છે ! ભગવાન પોતે પણ જે પદને વાણીનો વિષય બનાવી શકયા નથી, તેને અન્ય કોઈપણ કેવી રીતે વર્ણવી શકશે એમ કહેતાં કહેતાં નિજપદની જે મધુર લક્ષણા શ્રી રાજચંદ્રે કરેલી છે તે ખરેખર નિગૂઢ લાવણ્યમયી પ્રતીત થાય છે. ‘ગજા વગરના હાલ મનોરથ રૂપ જો' કહીને નમ્રતાની જેમ પરાકાષ્ઠા કરી છે તેમજ ‘પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો !' કહીને પ્રભુ સમર્પિત શરણાગતિની પણ પરાકાષ્ઠા કરી છે. Jain Education International 2010_04 ૫ For Private & Personal Use Only વિમલા ઠકાર www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34