Book Title: Mithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Author(s): Trilokmuni
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 192
________________ ૧૯૨ ૧૨ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત આવ્યો કે તેની કમાણી ઓછી છે અને નકામો ખર્ચ વધારે છે, તેથી તે ચોરોનો સરદાર છે. મંત્રીશ્વરે પ્રેમથી મણિસાગરને પોતાની પાસે બેસાડીને કહ્યું કે મારા મનમાં મોટુ આશ્ચર્ય એ છે કે શા માટે તું લોકોનું ધન હરણ કરે છે? શા માટે અધર્મનું કાર્ય કરે છે? તમારી પાસે ઘણી સંપતિ છે છતાં આ વ્યસન કેમ છે? મણિસાગરને આશ્ચર્ય થયું. વિચારતા તેનું માથુ ફરવા લાગ્યું કે મંત્રીશ્વરને આ વાતની ખબર કેવી રીતે પડી ? હવે શું કરવું? ખોટું બોલું તો પણ આ બુદ્ધિ નિધાન છે, અનુભવી છે, તેથી ખોટું ચાલશે નહિ. આમ વિચારીને પોતાની ચોરી કરવાની આદતને સ્વીકારી લીધી અને કહ્યું આપનું કથન બિલકુલ સાચું છે પરંતુ દુર્વ્યસની એવો હું આપનો બાળક છું હું ચોરી કરવામાં પૂરેપૂરો ટેવાઈ ગયો છું તેથી આપે મને તે બાબતમાં ક્યારેય પણ ન કહેવું. મંત્રી હેરાન થઈ ગયો કે પોતાના દુર્ગુણ પર પણ અડગ છે અને સ્પષ્ટ વક્તા પણ છે, તેથી મંત્રીએ તેને કહ્યું તમે જાઓ. યથા અવસરે ઉચિત ઉપાય કરવામાં આવશે. મણિસાગરના ગયા બાદ મંત્રીને ખબર પડી કે નગરીમાં ધર્મઘોષ આચાર્ય પધાર્યા છે. મંત્રી ઘણા પ્રસન્ન થયા. તેને મણિસાગરને કહેવડાવી દીધું કે કાલે સવારે મારી સાથે ગુરુદર્શને જવાનું છે. તેણે કોઈપણ આનાકાની કર્યા વગર વાતને સ્વીકારી લીધી. - સવાર થતાં જ બને ગુરુદર્શન કરીને તેઓની સમક્ષ યથાસ્થાને બેસી ગયા. બીજા પણ નગરના લોકોથી સભા સ્થળ ભરાઈ ગયું. મુનિરાજે જનતાની ભાવના જોઈને વ્યાખ્યાન શરૂ કર્યું. ધર્મની દુર્લભતા, ત્યાગવ્રતનું મહત્ત્વ બતાવતાં પાંચ આશ્રવોનો વિષય લીધો અને ક્રમથી ચોરી પર ઉપદેશ દેવા લાગ્યા. ચોર પોતાની ચતુરાઈથી પર દ્રવ્ય હરણ કરી આનંદ પ્રાપ્ત કરે છે પરંતુ જ્યારે ચોરી કરતો પકડાય જાય ત્યારે તેની બહુ જ દુર્દશા થાય છે. તે સુખપૂર્વક નિંદર કરી શકતો નથી, છુપાઈને રહે છે અપયશ મેળવે છે. તે લોકોને દુઃખ આપે છે. બધાની હાય લઈને મરે છે. વેરને બાંધીને તે દુર્ગતિમાં અનેક પ્રકારના દુઃખ પામે છે. સાંભળતાં-સાંભળ તાં મણિસાગરનો ચહેરો ફિક્કો પડી ગયો. આ બાજુ મંત્રીશ્વરે પણ ઈશારો કર્યો કે ગુરુદેવનું ફરમાન સ્વીકારી લેવું. આવો અવસર ચૂકવો નહિ. હાથ જોડીને ચોરી ન કરવાના પચ્ચકખાણ કરી લો. તેણે સ્પષ્ટ જવાબ દીધો કે એકવાર કહો કે લાખવાર કહો હું તેને છોડી શકતો નથી. બીજુ જે કાંઈ કહો તે બધું જ માનું પ્રાણ દેવાનો અવસર આવે તો પ્રાણ પણ દઈ દઉં. મંત્રીશ્વરે તેને વચનથી બાંધીને ખોટું ન બોલવાના પચ્ચખાણ ગુરુદેવની પાસે કરાવ્યા. મણિસાગરે પણ દઢ નિયમ લઈ લીધો. ચોરીનો ધંધો તેનો બરાબર ચાલતો રહ્યો. જનતાએ જોયું મંત્રીશ્વરે સાંભળીને કંઈપણ ઉપાય કર્યો નથી. હવે તો આ ફરીયાદ રાજાને કરવી જોઈએ. બધા ભેગા મળીને રાજાની પાસે ગયા. પોતાની વ્યથા સંભળાવી. રાજાએ આશ્વાસન દીધું કે સમજી લો આજથી જ ચોર ગયો. નિડર થઈને રહો. રાત્રે રાજા વેશ પરિવર્તન કરીને ચોકી કરવા નીકળ્યા. ચોર પણ બે નોકરને સાથે તે જ રાજકોષમાં ચોરી કરવા ચાલ્યા. સંયોગવશ રસ્તામાં રાજા તેને મળી ગયા. પૂછ્યું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258