Book Title: Mithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Author(s): Trilokmuni
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 218
________________ ૨૧૮ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાજેનાગમ નવનીત, આહાર લેવાનો અભિગ્રહ કરવો. (ર૯) સુસણીએ-એસણામાં કોઈપણ અપવાદનું સેવન ન કરવાનો અભિગ્રહ. (૩૦) સંપાદરીએ- દત્તિનું પરિમાણ નિશ્ચિત કરીને આહાર ગ્રહણ કરવાનો અભિગ્રહ કરવો.-[પપાતિક સૂત્ર ભિન્ન પિંડપાતિક- ટુકડા કરેલા પદાર્થોની ભિક્ષા લેવાવાળા, અખંડ પદાર્થમગ, ચણા આદિન લેવાવાળા-[ઠાણાંગ–૫] રસપરિત્યાગ તપના નવ પ્રકારઃ(૧) નિર્વિકૃતિક વિગય રહિત આહાર કરવો. નવી તપ કરવું. (૨) પ્રણીતરસ પરિત્યાગ– અતિ સ્નિગ્ધ અને સરસ આહારનો ત્યાગ. (૩) આયંબિલ– મીઠું આદિ ષસ તથા વિગય રહિત એક દ્રવ્યને અચિત પાણીમાં પલાળી દિવસમાં એક વખત વાપરવું. (૪) આયામસિકથભોજી– અતિ અલ્પ(એકાદ કણ) લઈ આયંબિલ કરવી. (૫) અરસાહાર– મસાલા વિનાનો આહાર કરવો. (૬) વિરસાહાર– ઘણા જુના અનાજનો બનાવેલો આહાર લેવો. (૭) અન્નાહાર– ભોજન કરી લીધા પછી પાછળ વધેલો આહાર લેવો. (૮) પ્રાન્તાહાર- તુચ્છ ધાન્યથી બનાવેલો આહાર કરવો. (૯) રુક્ષાકાર-લૂખો-સૂકો આહાર કરવો. કાયક્લેશ તપના નવ પ્રકાર:(૧) સ્થાનસ્થિતિક–એક આસને સ્થિર ઊભા રહેવું. બેસવું નહીં. (ર) ઉત્કટુકાસનિક-બને પગ ઉપર બેસી મસ્તક પર અંજલી કરવી. (૩) પ્રતિમા સ્થાયી– એક રાત્રિ આદિનો સમય નિશ્ચિત કરી કાઉસગ્ગ કરવો. (૪) વીરાસનિક– ખુરશી ઉપર બેઠેલ વ્યક્તિની નીચેથી ખુરશી કાઢી લેવાથી જે સ્થિતિ થાય છે, તે આસને સ્થિર રહેવું. (૫) ઔષધિક– પલાંઠીવાળી બેસવું અને સમયની મર્યાદા કરવી. (૬) આતાપક– તડકા આદિની આતાપના લેવી. (૭) અપ્રાવૃતક–ખુલ્લા શરીરે રહેવું.(શરીરના ઉપરી ભાગની અપેક્ષાએ) (૮) અકંડૂયક– ચળ આવવા છતાં શરીરને ખણવું નહીં. (૯) અનિષ્ઠીવક– કફ, ચૂંક આવ્યા છતાં ઘૂંકવું નહીં. (૧૦) સર્વગાત્ર પરિકર્મ અને વિભૂષા વિપ્રમુક્ત- દેહના તમામ સંસ્કાર તથા વિભૂષાદિથી મુક્ત રહેવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258