SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાજેનાગમ નવનીત, આહાર લેવાનો અભિગ્રહ કરવો. (ર૯) સુસણીએ-એસણામાં કોઈપણ અપવાદનું સેવન ન કરવાનો અભિગ્રહ. (૩૦) સંપાદરીએ- દત્તિનું પરિમાણ નિશ્ચિત કરીને આહાર ગ્રહણ કરવાનો અભિગ્રહ કરવો.-[પપાતિક સૂત્ર ભિન્ન પિંડપાતિક- ટુકડા કરેલા પદાર્થોની ભિક્ષા લેવાવાળા, અખંડ પદાર્થમગ, ચણા આદિન લેવાવાળા-[ઠાણાંગ–૫] રસપરિત્યાગ તપના નવ પ્રકારઃ(૧) નિર્વિકૃતિક વિગય રહિત આહાર કરવો. નવી તપ કરવું. (૨) પ્રણીતરસ પરિત્યાગ– અતિ સ્નિગ્ધ અને સરસ આહારનો ત્યાગ. (૩) આયંબિલ– મીઠું આદિ ષસ તથા વિગય રહિત એક દ્રવ્યને અચિત પાણીમાં પલાળી દિવસમાં એક વખત વાપરવું. (૪) આયામસિકથભોજી– અતિ અલ્પ(એકાદ કણ) લઈ આયંબિલ કરવી. (૫) અરસાહાર– મસાલા વિનાનો આહાર કરવો. (૬) વિરસાહાર– ઘણા જુના અનાજનો બનાવેલો આહાર લેવો. (૭) અન્નાહાર– ભોજન કરી લીધા પછી પાછળ વધેલો આહાર લેવો. (૮) પ્રાન્તાહાર- તુચ્છ ધાન્યથી બનાવેલો આહાર કરવો. (૯) રુક્ષાકાર-લૂખો-સૂકો આહાર કરવો. કાયક્લેશ તપના નવ પ્રકાર:(૧) સ્થાનસ્થિતિક–એક આસને સ્થિર ઊભા રહેવું. બેસવું નહીં. (ર) ઉત્કટુકાસનિક-બને પગ ઉપર બેસી મસ્તક પર અંજલી કરવી. (૩) પ્રતિમા સ્થાયી– એક રાત્રિ આદિનો સમય નિશ્ચિત કરી કાઉસગ્ગ કરવો. (૪) વીરાસનિક– ખુરશી ઉપર બેઠેલ વ્યક્તિની નીચેથી ખુરશી કાઢી લેવાથી જે સ્થિતિ થાય છે, તે આસને સ્થિર રહેવું. (૫) ઔષધિક– પલાંઠીવાળી બેસવું અને સમયની મર્યાદા કરવી. (૬) આતાપક– તડકા આદિની આતાપના લેવી. (૭) અપ્રાવૃતક–ખુલ્લા શરીરે રહેવું.(શરીરના ઉપરી ભાગની અપેક્ષાએ) (૮) અકંડૂયક– ચળ આવવા છતાં શરીરને ખણવું નહીં. (૯) અનિષ્ઠીવક– કફ, ચૂંક આવ્યા છતાં ઘૂંકવું નહીં. (૧૦) સર્વગાત્ર પરિકર્મ અને વિભૂષા વિપ્રમુક્ત- દેહના તમામ સંસ્કાર તથા વિભૂષાદિથી મુક્ત રહેવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy