SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ ૧૨ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત આવ્યો કે તેની કમાણી ઓછી છે અને નકામો ખર્ચ વધારે છે, તેથી તે ચોરોનો સરદાર છે. મંત્રીશ્વરે પ્રેમથી મણિસાગરને પોતાની પાસે બેસાડીને કહ્યું કે મારા મનમાં મોટુ આશ્ચર્ય એ છે કે શા માટે તું લોકોનું ધન હરણ કરે છે? શા માટે અધર્મનું કાર્ય કરે છે? તમારી પાસે ઘણી સંપતિ છે છતાં આ વ્યસન કેમ છે? મણિસાગરને આશ્ચર્ય થયું. વિચારતા તેનું માથુ ફરવા લાગ્યું કે મંત્રીશ્વરને આ વાતની ખબર કેવી રીતે પડી ? હવે શું કરવું? ખોટું બોલું તો પણ આ બુદ્ધિ નિધાન છે, અનુભવી છે, તેથી ખોટું ચાલશે નહિ. આમ વિચારીને પોતાની ચોરી કરવાની આદતને સ્વીકારી લીધી અને કહ્યું આપનું કથન બિલકુલ સાચું છે પરંતુ દુર્વ્યસની એવો હું આપનો બાળક છું હું ચોરી કરવામાં પૂરેપૂરો ટેવાઈ ગયો છું તેથી આપે મને તે બાબતમાં ક્યારેય પણ ન કહેવું. મંત્રી હેરાન થઈ ગયો કે પોતાના દુર્ગુણ પર પણ અડગ છે અને સ્પષ્ટ વક્તા પણ છે, તેથી મંત્રીએ તેને કહ્યું તમે જાઓ. યથા અવસરે ઉચિત ઉપાય કરવામાં આવશે. મણિસાગરના ગયા બાદ મંત્રીને ખબર પડી કે નગરીમાં ધર્મઘોષ આચાર્ય પધાર્યા છે. મંત્રી ઘણા પ્રસન્ન થયા. તેને મણિસાગરને કહેવડાવી દીધું કે કાલે સવારે મારી સાથે ગુરુદર્શને જવાનું છે. તેણે કોઈપણ આનાકાની કર્યા વગર વાતને સ્વીકારી લીધી. - સવાર થતાં જ બને ગુરુદર્શન કરીને તેઓની સમક્ષ યથાસ્થાને બેસી ગયા. બીજા પણ નગરના લોકોથી સભા સ્થળ ભરાઈ ગયું. મુનિરાજે જનતાની ભાવના જોઈને વ્યાખ્યાન શરૂ કર્યું. ધર્મની દુર્લભતા, ત્યાગવ્રતનું મહત્ત્વ બતાવતાં પાંચ આશ્રવોનો વિષય લીધો અને ક્રમથી ચોરી પર ઉપદેશ દેવા લાગ્યા. ચોર પોતાની ચતુરાઈથી પર દ્રવ્ય હરણ કરી આનંદ પ્રાપ્ત કરે છે પરંતુ જ્યારે ચોરી કરતો પકડાય જાય ત્યારે તેની બહુ જ દુર્દશા થાય છે. તે સુખપૂર્વક નિંદર કરી શકતો નથી, છુપાઈને રહે છે અપયશ મેળવે છે. તે લોકોને દુઃખ આપે છે. બધાની હાય લઈને મરે છે. વેરને બાંધીને તે દુર્ગતિમાં અનેક પ્રકારના દુઃખ પામે છે. સાંભળતાં-સાંભળ તાં મણિસાગરનો ચહેરો ફિક્કો પડી ગયો. આ બાજુ મંત્રીશ્વરે પણ ઈશારો કર્યો કે ગુરુદેવનું ફરમાન સ્વીકારી લેવું. આવો અવસર ચૂકવો નહિ. હાથ જોડીને ચોરી ન કરવાના પચ્ચકખાણ કરી લો. તેણે સ્પષ્ટ જવાબ દીધો કે એકવાર કહો કે લાખવાર કહો હું તેને છોડી શકતો નથી. બીજુ જે કાંઈ કહો તે બધું જ માનું પ્રાણ દેવાનો અવસર આવે તો પ્રાણ પણ દઈ દઉં. મંત્રીશ્વરે તેને વચનથી બાંધીને ખોટું ન બોલવાના પચ્ચખાણ ગુરુદેવની પાસે કરાવ્યા. મણિસાગરે પણ દઢ નિયમ લઈ લીધો. ચોરીનો ધંધો તેનો બરાબર ચાલતો રહ્યો. જનતાએ જોયું મંત્રીશ્વરે સાંભળીને કંઈપણ ઉપાય કર્યો નથી. હવે તો આ ફરીયાદ રાજાને કરવી જોઈએ. બધા ભેગા મળીને રાજાની પાસે ગયા. પોતાની વ્યથા સંભળાવી. રાજાએ આશ્વાસન દીધું કે સમજી લો આજથી જ ચોર ગયો. નિડર થઈને રહો. રાત્રે રાજા વેશ પરિવર્તન કરીને ચોકી કરવા નીકળ્યા. ચોર પણ બે નોકરને સાથે તે જ રાજકોષમાં ચોરી કરવા ચાલ્યા. સંયોગવશ રસ્તામાં રાજા તેને મળી ગયા. પૂછ્યું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy