SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ આચારશાસ્ત્ર : પરિશિષ્ટ વિભાગ પરિશિષ્ટઃ વિભાગ છે પરિશિષ્ટ-૧ : અસત્ય ત્યાગ : કથા વસંતપુર નામનું નગર હતું. ત્યાં અરિમર્દન રાજા રાજ્ય કરતા હતા. મતિસાગર તેના પ્રધાન હતા. તે નગરમાં ધનદત્ત શેઠ રહેતા હતા. પોતાના ગુણોથી તેણે નગરભરમાં ઘણી ખ્યાતિ મેળવી હતી. તેને મણિસાગર નામનો પુત્ર હતો. તે પણ બધા લક્ષણો તેમજ ગુણોથી યુક્ત હતો. ૧૯૧ એક જ પુત્ર હોવાથી તેને આઝાદી મળી ગઈ હતી. ખરાબ મિત્રોની સાથે હરતો-ફરતો રહેવાથી ખરાબ સંસ્કાર તેનામાં આવી ગયા હતા. ખરાબ સંગતથી તે આવારાની જેમ ઘૂમવા લાગ્યો. તેની સંગતિમાં તેને ચોરી કરવાનું વ્યસન પડી ગયું. બીજા દુર્ગુણોથી બચી ગયો. ચોરીના અવગુણમાં અત્યંત હસ્તગત કળાવાળો થઈ ગયો અને ચોરી કરવાની તેની આદત પણ બની ગઈ. પિતાને આ વાતની ખબર પડી ગઈ કે મણિસાગર ચોરીઓ કરીને ઘરમાં સામાન, ધન, સંપત્તિ ભરી રહ્યો છે. પિતાએ પુત્રને પોતાની પાસે બોલાવ્યો તેમજ ઘણા પ્રેમથી પુત્રને હૃદયની વાત કહેવા લાગ્યા. બેટા ! આજકાલ તું શું કરી રહ્યો છે ? કઈ કમાણીથી ઘર ભરી રહ્યો છે ? બોલ, આપણા ઘરમાં શું કમી છે? ધનદત્તના સમજાવવા પર પુત્રે જવાબ દીધો, પિતાજી ! હું આપનો પુત્ર નથી પણ કપૂત છું, નાલાયક છું, મારે હંમેશા ચોરી કરવી અને લોકોનો ખજાનો ખાલી કરવો એ જ મારું મુખ્ય કાર્ય બની ગયું છે. અત્યારે હું તે છોડી શકતો નથી, તેના સિવાય જે આપ કહો તે બધાનો સ્વીકાર કરવા તૈયાર છું. પિતાએ ફરી ભાર દઈને સમજાવવાનો તેમજ ચોરી છોડાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ સફળતા ન મળી. શેઠે વિચાર કર્યો આ રોગનું મૂળકારણ છે કુસંગત, તેથી સુસંગત જ તેનો ઉપાય છે. આમ વિચારીને પિતાએ કહ્યું કે હિતકારી વચન ન માનવા તે બરાબર નથી. બીજીવાર કહું છું કે મારી વાત માની જા. મણિસાગરે કહ્યું ચોરી સિવાય આપ જે આજ્ઞા કરશો તે હું સ્વીકારવા તૈયાર છું, કોઈપણ પ્રકારની આનાકાની નહિ કરું. શેઠે તેની દઢ પ્રતિજ્ઞા જાણીને કહી દીધું કે મારા મિત્ર શ્રી મતિસાગર જે રાજાના પ્રધાન છે, તેની પાસે રોજ જા અને થોડો સમય તેની સેવા-સત્સંગ કર. તેમાં જરાપણ ભૂલ નહીં કરું એવો પાકો નિયમ લે. બસ આ જ મારી છેલ્લી શિખામણ માની જા. મણિસાગરે પિતાની આજ્ઞા શિરોધાર્ય કરી. હવે રોજ સુસંગતમાં રહેવા લાગ્યો. થોડા સમય પછી ધનદત્ત મૃત્યુ પામ્યા. મણિસાગર ઘણા આનંદથી રહેવા લાગ્યો. ચોરીઓ કરવાનો ક્રમ તેણે ચાલુ રાખ્યો. તે ચોરી કરવામાં એટલો પાવરધો બની ગયો કે કોઈપણ તેનો પત્તો લગાવી શકતા નહિ. તેને કોઈ પકડી શકતા નહીં. રોજરોજ નગરમાં ચોરીઓ થવાથી લોકોએ મળીને પ્રધાનની પાસે નિવેદન કર્યું. પ્રધાને વિચાર કર્યો કે નગરમાં નકામો મર્યાદા વગરનો ખર્ચ કરનાર વ્યક્તિ કોણ છે? વિચારતા તેને મણિસાગર ધ્યાનમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy