Book Title: Maundhari Mahavirthi Maleli Hit Shiksha
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 147
________________ હાર, માતાના હાલના કોઈ અપૂર્વ પ્રકાશથી તેમનો આલોક અલંકૃત થઈ ગયો. ભગવાન પાસે તેમની કોઈ યાચના કે અપેક્ષા ન હતી. આથી ભગવાનની જ્ઞાનગંગામાં પવિત્ર થવાની ભાવનાથી તેઓ તેમના ચરણમાં ઝૂકી ગયા. શાસ્ત્રજ્ઞ અને સર્વજ્ઞ મનાવતા એ સરસ્વતીપુત્ર બોલી ઊઠ્યા, “ભગવાન હું કંઈ જ જાણતો નથી. તત્ત્વ શું છે તે સમજાવો !” અને પછી તો અનેક પ્રશ્નો દ્વારા નિર્દોષભાવે તેમણે પ્રભુની વાડ્મયીમાં સ્નાન કરી પવિત્રતાની ક્ષિતિજે પહોંચવા લાગ્યા. ભગાવન પણ ગૌતમને સતત જાગૃત રાખતા. “હે ગૌતમ એક ક્ષણનો પ્રમાદ ન કરતા” “ભગવાન. પ્રસાદ શું છે?” એમના પ્રશ્નમાં બાલસુલભ નિર્દોષતા નીખરતી. ભગવાન પણ તેવા જ પિતૃભાવે પ્રત્યુત્તર આપતા. “હે ગૌતમ ! જગતના જીવો માટે આત્મવિસ્મરણ એ જ પ્રમાદ છે. નિદ્રામાં ચક્ષુ ઉપર આવેલો અંધકાર તો સૂર્યોદય થતાં દૂર થાય છે, કે નિદ્રા દૂર થતાં દૂર થાય છે પરંતુ ચેતના પર આવતો અંધકાર દીર્ઘકાળના સૂર્યોદયો થવા છતાં દૂર થતો નથી. આત્માની સ્મૃતિ તે જાગરણ છે. તે અપ્રમાદ છે. પરમાત્મા પ્રત્યેનો અભિગમ છે.” ભગવાને પોતે સાધનાકાળમાં કરેલા જાગરણના અનુભવનો મંત્ર ગૌતમને આપીને સાચા ગુરુત્વને પ્રગટ કર્યું. ગૌતમ પણ સાચા જિજ્ઞાસુ શિષ્ય હતા. વારંવાર અનેક શિષ્યોના સમૂહમાં ભગવાન કહેતા કે “ગૌતમ, ક્ષણનો પ્રમાદ ન કરો.” ત્યારે તેઓ વધુ આત્મઅવલોકન પ્રત્યે ઝૂકી જતા. લઘુતાભાવે તે શિખને સ્વીકારી પોતાની જાતને ધન્ય માનતા. ભાઈ ! તમને અન્યની હાજરીમાં પ્રશંસા ગમે ને ? પણ જો તમને કોઈ ગુરુ કે વડીલ કંઈ શિખ આપે ત્યારે તમારું મુખ લીમડાના રસપાન વગર પણ કડવાશ અનુભવે કે નહિ ? તેમાંય તમારું કોઈ ઉચ્ચપદ હોય, અને સમૂહમાં વારંવાર તમને ટકોરવામાં આવે તો તમે ગુરુની વાત્સલ્યતાનો સહર્ષ સ્વીકાર કરો ને ? કરો તો તમે મહાવીર ૧૩૬ ૪ હિતશિક્ષા Vaarwen Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188