Book Title: Maundhari Mahavirthi Maleli Hit Shiksha
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 154
________________ ભગવાન : “દૃઢપણે બાંધેલાં કર્મ ભોગવવાં જ પડે છે. તેમાં ઇન્દ્રાદિ કોઈ મુક્ત નથી.’’ ‘ભંતે, કોઈ ઉપાય બતાવો. મને અંધકારથી છોડાવો.’ ભગવાન જાણતા હતા કોઈ ફેરફાર થવા સંભવ નથી. પરંતુ જો આ નિમિત્તે શ્રેણિકનું આત્મસંશોધન ઘેરું બનશે તો નરકનાં દુઃખો પણ તેને માટે શ્રેયસ્કર બનશે. ભગવાને કહ્યું કે ‘જો કપિલા બ્રાહ્મણી સહર્ષ સાધુને ભિક્ષા આપે, અને રાજકસાઈ કાલસૌરિક હિંસાનો ત્યાગ કરે તો તારો નરકથી છુટકારો થવો સંભવ છે.'' શ્રેણિક ભગવાને દર્શાવેલી યુક્તિથી પ્રસન્ન થયો. તેણે માન્યું કે બ્રાહ્મણી અને કસાઈ બે મારી આજ્ઞામાં છે, વળી તેમને ધન આપવાથી આ કાર્ય સહેલાઈથી થઈ શકશે. આથી તેણે પ્રથમ કપિલા બ્રાહ્મણીને બોલાવીને કહ્યું કે હે ભદ્રે ! તું સાધુઓને સહર્ષ ભિક્ષા આપ. તને તે કાર્ય માટે ઘણું ધન આપીશ.’’ હે ‘“મહારાજ, મને ક્ષમા કરો, મને ધનની જરૂર નથી. મને આ સિવાય ગમે તે કાર્ય સોંપો, પરંતુ આ કાર્ય હું કરી નહિ શકું.'' શ્રેણિકે વિચાર્યું કે કોઈની પાસે બળજબરીથી સુકૃત્ય કરાવી શકાતું નથી. જીવોમાં એવો અંતરાય રહ્યો હોય છે કે તેઓ યોગ મળવા છતાં ધર્મની પ્રાપ્તિ કરી શકતા નથી. ત્યાર પછી તેમણે કાલસૌરિકને બોલાવ્યો અને કહ્યું કે, ‘‘તું આ કસાઈપણું છોડી દે, ધનના લોભથી તું આવું કૃત્ય કરે છે, પણ હું તને ઘણું ધન આપીશ.’’ કાલ સૌરિક : ‘મહારાજ કસાઈના કામમાં દોષ નથી, હું તો મનુષ્યોને ખોરાક પૂરો પાડું છું.'' આથી રાજાએ તેને એક અહોરાત્ર અવાવરુ કૂવામાં પૂરી રાખ્યો. પણ વ્યર્થ. કસાઈએ કૂવામાં માટીનાં ચિત્ર બનાવીને પાંચસો પાડાને હણ્યા. શ્રેણિકે વિચાર્યું હિંસા એ માનવનો સંસ્કાર બની જાય છે, પછી હિતશિક્ષા ૧ ૧૪૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188