Book Title: Maundhari Mahavirthi Maleli Hit Shiksha
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 161
________________ w w wwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwww નનનન --- નનનન મન તમારા કરતા કરતા તમારા મેઘકુમારનું જાગરણ સમ્રાટ શ્રેણિકના પુત્ર મેઘકુમાર ભગવાનના શાસનમાં દીક્ષિત થયા. દિવસ તો સૂર્યના પ્રકાશની જેમ પ્રકાશમય ગયો. પરંતુ રાત્રિના અંધકારમાં મેઘની ચેતના પર પણ અંધકારનું આવરણ છવાઈ ગયું. ભગવાનના સાન્નિધ્યમાં જાગૃત થયેલી ચેતના રાત્રિની પ્રતિકૂળતાથી ઠરી ગઈ. તે પ્રાતઃકાલે ભગવાન પાસે આવ્યા. ભગવાન તેના મનની દશા જાણતા હતા, તેમણે મેઘને આ જન્મ નહિ પણ પૂર્વજન્મો સુધી જાગૃત કરી દીધો. મેઘ કહેવા આવ્યો હતો કે આ સંયમ પાળવો સંભવ નથી, પરંતુ ભગવાને તેને કહેલા પૂર્વજન્મોની ઘટનાઓથી તે જાગૃત થઈ ગયો, હાથીના ભાવમાં સહન કરીને ભગવાનના શરણ સુધી પહોંચવાનું પુણ્યબળ મેળવ્યું. તે પુણ્યબળને મુનિઓના ચરણસ્પર્શથી ક્ષોભ પામી ફેંકી દેવા તૈયાર થયેલો મેઘ જાગી ગયો. ફક્ત આ જન્મની હકીકતથી તેની ચેતના જાગૃત થાય તેવી સંભાવના ન હતી. આ જન્મ તો કેવળ સુખદ સ્વપ્ન હતું. ભગવાને પૂછ્યું “મેઘ, હવે તું જ નિર્ણય કરે કે તારે શું કરવું?” મેઘનું આત્મસંશોધન ઘેરું બન્યું. તે જાગૃત થઈ ગયો, આ જન્મના સુખની મૂર્છા તૂટી ગઈ, અને મેઘ પુનઃ આત્મસંશોધનમાં પ્રસ્થાપિત થઈ ગયો. પૂર્ણતાને પ્રાપ્ત કરી ધન્ય બની ગયો. આપણા પૂર્વજન્મોમાં આવી ઘટનાઓ ઘટી હશે? મહાપુરુષોના જીવનની કથાઓને અંતરમાં સ્પર્શવા દો. સંસારી જીવોને વિવિધ મનોદશાની સઘળી ઘટનાઓ અભ્યાધિક પણ શુભાશુભ સંસ્કારરૂપે તેમની ચેતનામાં સ્પર્શ થયો હોય છે. તેનું મંથન કરો અને અંતરને જાગૃત થવા દો. સંસારની યાત્રામાં ઘણાં દુઃખો સહન કર્યા છે. કરતા આવ્યા છીએ, સંયમને માર્ગે તેવાં કષ્ટો છે નહિ, હા સંયમમાર્ગે જવા માટે સ્વચ્છેદે વિહરેલા જીવે મનને નિયંત્રિત કરવું પડે છે, તે કષ્ટદાયક લાગે છે ખરું; પણ પ્રારંભમાં લાગતું તે કષ્ટ પરિણામે જીવને સુખદાયક બને છે. એકવાર ચેતનાને જાગૃત થવા દો. તેમાંથી શક્તિ પેદા થશે. જે ૧૫૦ ૪ હિતશિક્ષા નાની ન ના આકાર અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188