Book Title: Mathuri
Author(s): Dalsukh Malvania, Jitendra B Shah
Publisher: Gurjar Granthratna Karyalay

Previous | Next

Page 205
________________ ૧૮૪ ૦ માથુરી હલકી કરવામાં તો સહાયક જરૂર થાય. આથી તીર્થમાં જઈ સ્નાનાદિ બાહ્ય આચરણ પણ આવશ્યક મનાય તે સ્વાભાવિક છે. પરંતુ સામાન્ય જનતામાં વિવેકની ખામી હોય છે અને આથી તે મૂળ ઉદેશને જ ગૌણ બનાવી બાહ્ય આચારને જ મુખ્ય માનીને ધાર્મિક આચરણ કર્યાનો સંતોષ અનુભવે છે. પરિણામે આમજનતામાં આંતરશુદ્ધિનું મહત્ત્વ નથી રહેતું પણ બાહ્ય આચરણ જ મુખ્ય બનતું હોઈ બાહ્ય શુદ્ધિ પ્રતિ વિશેષ ધ્યાન અપાય છે. તીર્થમાં જઈ સ્નાન કરી, ટીલાં-ટપકાં કરી પૂજા કરી એટલે તીર્થારાધનાની ઇતિશ્રી થઈ જાય છે. તીર્થરાધનાનો આ પ્રકાર સામાન્ય રીતે આપણે જોઈએ છીએ. પણ આ રોગ બહુ જૂનો છે. સાતમી શતાબ્દીના આચાર્ય જિનભદ્ર તીર્થારાધનાના આ પ્રકાર વિશે ઉગ્ર પ્રહારો કર્યા છે. તેમણે સ્પષ્ટપણે જાહેર કર્યું છે કે તીર્થમાં જઈ સ્નાન કરી માત્ર બાહ્ય મલાપનયન કરવું એ તીર્થારાધનાનું ફળ જરૂર છે પણ એથી આંતરિક શુદ્ધિ થાય જ છે એમ નથી; વળી એ બાહ્ય આરાધના એટલે કે નદીમાં જઈ સ્નાન કરવું જો બાહ્યશરીરાદિની શુદ્ધિ કરે જ છે એવું પણ નથી. ઘણી વાર તારવાને બદલે ડુબાડી પણ દે છે. વળી આરાધના એવી હોવી જોઈએ જેથી તે વારંવાર કરવી ન પડે. પણ શરીરશુદ્ધિ તો વારંવાર કરવી પડે છે. પણ જો આત્મશુદ્ધિ કરવામાં આવે તો પુનઃ પ્રયત્ન અનાવશ્યક બની જાય છે. વળી સ્નાનાદિ ભવતારક બને જ છે એમ પણ નથી, કારણ તેમાં હિંસા છે. અને હિંસાથી તો ભવ-સંસાર વધે જ છે, ઘટતો નથી. દેહને ઉપકારક સ્નાદિ છે માટે પુણ્યનું કારણ હોઈ કરણીય છે એમ માનવું પણ યોગ્ય નથી; કારણ કે શરીરને તો ઉપયોગી મધુ-માંસાદિ પણ છે, તો શું તેનો ઉપયોગ પુણ્યનું કારણ બને ? માટે શરીરને ઉપકારી નહિ પણ આત્માને ઉપકારી તીર્થારાધન હોવું જોઈએ. આમ કહીને આચાર્યો તીર્થશબ્દનો આધ્યાત્મિક અર્થ બતાવ્યો છે. તેમનું માનવું છે કે નદી આદિનાં તીર્થો એ દ્રવ્યતીર્થો છે, અર્થાત્ બાહ્ય તીર્થો છે પણ આધ્યાત્મિક તીર્થ એટલે કે ભાવતીર્થ કે પરમાર્થ તીર્થ તો સંઘ છે એટલે કે સદ્દગુણી સ્ત્રી-પુરુષોનો સમુદાય તીર્થ છે-તારક છે. તરવાનું સાધન એટલે કે હોડી જેવું સાધન તે સમ્યજ્ઞાન, સમ્યફ શ્રદ્ધા અને સમ્યફ આચરણ એ ત્રણ રત્નો છે અને તરવાનું નદી આદિને નહિ પણ ભવસંસારને તરવું એ જ વારાગમન છેતરી જવું છે. આમ બાહ્ય તીર્થને સ્થાને આચાર્ય જિનભદ્ર આત્યંતર તીર્થને મહત્ત્વ આપ્યું છે. આમ કહી સૂચવ્યું છે કે આરાધના કરવી હોય તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269