Book Title: Mathuri
Author(s): Dalsukh Malvania, Jitendra B Shah
Publisher: Gurjar Granthratna Karyalay

Previous | Next

Page 243
________________ ૪૩. સુધારાના રાહ પર આજે જૈન સમાજ કે જેણે એકાંતવાદનો ટેકો લીધો છે તે અઘોર, ઊંડા એકાંતવાદમાં ડૂબેલ છે. આજના જૈન સમાજના પ્રત્યેક અંગ તપાસતાં એકાન્તવાદ નજરે આવે છે. છતાં અમે અનેકાંતવાદીઓ છીએ એમ કહેવરાવતાં લજ્જા પણ ધરતા નથી. પરંતુ આપણને ખબર નથી કે આપણે અનેકાંતવાદની બૂમો પાડવા છતાં એકાંતને જ આદરીએ છીએ. આપણે જો ખરા અનેકાંતવાદી હોત તો આજે જે ભેદભાવ દેખાય છે, તેનાં દર્શન જ ન થયાં હોત પરંતુ ખરા સિદ્ધાંતને પોથીમાં રાખીને આચરણમાં તો એકાન્ત જ લીધો. સાચું તે મારું એ સિદ્ધાંતને ભૂલીને મારું તે સાચું કરી બેઠા છીએ. આપણા ત્રણે ફીરકાઓનું ધ્યેય તો એક જ છે, છતાં લડાઈ શાની ? આ તો સાધનો માટે લડતાં આપણે સાધ્યને ખોઈ બેઠા છીએ. અને સાધનને જ સાધ્ય માનીને મમતે ચડ્યા છીએ. એક કહેશે કે મૂર્તિ પૂજવી જ જોઈએ ત્યારે તેની વિરુદ્ધમાં બીજો મૂર્તિનો સખત નિષેધ કરીને મુહપત્તીને આગળ ધરે છે, અને કહે છે કે દરેક જૈને મુહપત્તી બાંધવી જ જોઈએ, તેના જવાબમાં પેલાએ મુહપત્તીનો દોરો જ ફેંકી દીધો. અને સિદ્ધ કર્યું કે દોરાની જરૂર જ નથી. દિગંબરો વળી બિલકુલ નગ્નતાને જ સાધન માને છે. આ બધું શું બતાવે છે ? કદાગ્રહ અને એકાંત. વળી આ બધુંય ભગવાન મહાવીરને નામે ચડાવવાનું. આવી બાબતોમાં વિચાર કરીએ તો જરૂર માલૂમ પડે કે આવી વાતોમાં આચાર્યોનો સ્વાર્થ જ નજર આવે છે. તેઓ એક વાત બતાવીને બીજીનો તુરત નિષેધ કરે છે, કે જેથી પોતાની વાત બરોબર જામી જાય. આવી વાતોમાં તેમની માન, પૂજા, પ્રતિષ્ઠા માટે સ્વાર્થવૃત્તિ પણ હોય છે. તેમની સ્વાર્થવૃત્તિને લઈને તેઓની નજરે અન્યના અવગુણો જ આવે છે. પરંતુ આ મારું જ સારું છે એટલું તો જરૂર આગળ ધસીને કહી શકે છે. આવી આવી દરેક બાબતોમાં એકાંત સિવાય બીજું કંઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269