Book Title: Mathuri
Author(s): Dalsukh Malvania, Jitendra B Shah
Publisher: Gurjar Granthratna Karyalay

Previous | Next

Page 258
________________ સદાચારઃ સામાજિક અને વૈયક્તિક • ૨૩૭ આત્મવંચના એ વૈયક્તિક અનાચારની પરાકાષ્ઠા હોય તો આત્મા પ્રત્યેની વફાદારીને વૈયક્તિક સદાચાર ગણી શકાય ખરો. આપણા અંતરનો અવાજ આપણને સામાન્ય રીતે ખરે માર્ગે દોરતો જ હોય છે, પણ આપણા ઉપર બાહ્ય વાતાવરણના જે કુસંસ્કારો હોય છે તે એ અવાજને દાબી દે છે. અંતરનો એ અવાજ દબાઈ ન જાય અને તે પ્રતિદિન સંસ્કારી અને બળવાન બને તેની તકેદારી રાખવી એથી વિશેષ કાંઈ વૈયક્તિક સદાચાર હોઈ શકે છે એમ મને નથી લાગતું. આત્માના અવાજને જાગરિત રહેવા દેવો, તેને મુક્ત વહેવા દેવો અને તેણે બતાવેલી દિશાએ કષ્ટો સહીને પણ આગળ વધવું એ જ વૈયક્તિક સદાચાર સંભવે છે, બીજો કોઈ નહિ. જનકલ્યાણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269