Book Title: Mathuri
Author(s): Dalsukh Malvania, Jitendra B Shah
Publisher: Gurjar Granthratna Karyalay

Previous | Next

Page 215
________________ ૩૮. કરુણાવિચાર વિરુદ્ધ ઉપયુક્તતાવાદ ‘પ્રબુદ્ધ જીવન’માં માંસના વિશેષ પ્રચાર અંગે શ્રી ૫૨માનંદ-ભાઈએ ‘વુમુક્ષિત: દ્રિ 7 રોતિ પારૂં' એ લેખ લખ્યો. તેનો સમગ્રભાવે સૂર એ છે કે સ૨કા૨ને કહેવાનો કશો અર્થ નથી, પણ લોકોમાં કરુણાવૃત્તિને જાગ્રત કરવા પ્રયત્ન કરીએ તો કાંઈક થાય ખરું. અને તેમણે એ પણ સ્વીકાર્યું છે કે આવી વિષમ પરિસ્થિતિમાં જ્યાં સુધી કરુણા જાગ્રત થાય નહિ ત્યાં સુધી સરકારની પણ ફરજ છે કે તેણે માંસ માટેની પૂરી અદ્યતન સાધનોની સગવડ કરવી આવશ્યક છે. અને વળી માંનિરોધમાં કાયદો કાંઈ કરી શકે નહિ. વળી તેમણે એ પણ જણાવ્યું છે કે આપણા દેશમાં મોટો ભાગ માંસાહારી છે. હવે આ વિધાનો વિશે વિચાર કરીએ. આપણી સરકાર લોકસત્તાત્મક છે અને લોકોએ જ બુદ્ધિમાન માણસોને—જેઓ ચૂંટનારની દૃષ્ટિમાં લોકહિત વધારે સમજે છે અને ક૨શે— રાજ્યસત્તા સોંપી છે. તો આપણો એ અબાધ હક્ક છે જ કે આપણને જે ઉચિત લાગતું હોય તે વિશે તેમને વારંવાર કહીએ અને જો તે વિશે તેઓ બેદરકાર રહે તો ફરી તેવા નકામા માણસોને ચૂંટીએ પણ નહિ. એટલે મને તો લાગે છે કે લોકો કરતાં સરકારને કહેવાથી જે કામ બહુ સરળતાથી પતે તેવું છે તેને લોકોને કહેવા કરતા સરકારને જ કહેવું જોઈએ . જવાહરલાલજીએ ગાયના માંસને પરદેશ મોકલવાનું બંધ કર્યું હતું તે કાંઈ કરુણાવૃત્તિથી નહિ કે ગાય તરફ તેમની વિશેષ ભક્તિ ઊભરાઈ આવી હતી તેથી નહિ, પણ ભારતના લોકમાનસને ઓળખીને અને તે પણ તે કાળે થતાં ઉગ્ર વિરોધને જોઈને. એ વિરોધ જરા ઢીલો પડ્યો અને સરકાર સ્થિર થઈ એટલે પ્રજાને જાણ કર્યા વિના પાછું એ ગોમાંસ પરદેશ જવું શરૂ થયું હોય તેમાં આપણા જેવાની મનોવૃત્તિ એ જ બળ આપ્યું છે. સરકાર તો વિષમ પરિસ્થિતિમાં જે ફાવે તે કરી શકે છે. આ મનોવૃત્તિ ખાસ કરીને જેઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269