Book Title: Mathuri
Author(s): Dalsukh Malvania, Jitendra B Shah
Publisher: Gurjar Granthratna Karyalay

Previous | Next

Page 239
________________ ૪૨. સાંસ્કૃતિક પ્રચારનો અવસર સંવત્સરી પર્વનો સંદેશ અહિંસા અથવા ક્ષમાનો છે. ગાંધીજીએ પોતાના જીવનથી એ બતાવી આપ્યું કે અહિંસા અને ક્ષમાની કેટલી શક્તિ છે, પણ આપણે જૈનો એ શક્તિને જાણવા છતાં તેમાં વિશ્વાસ કે શ્રદ્ધા ધરાવતા નથી. એ પુરવાર કરવા માટે દૂરની ઘટના સુધી જવાની જરૂર નથી. ચાતુર્માસનું મહત્ત્વ સાંવત્સરિક પર્વને લીધે છે અને એ માટે ડહેલાના ઉપાશ્રયની તાજેતરમાં બનેલી ઘટના આપણી અહિંસા અને ક્ષમાની શ્રદ્ધા કેટલી ઢીલી છે તે બતાવી આપે છે. મનુષ્ય પોતાની જંગલી દશામાં “જિસકી લાઠી ઉસકી ભેંસના ન્યાયમાં માનતો અને તે વિકાસ કરતો કરતો આજે રાષ્ટ્રો વચ્ચેના કજિયાની પતાવટ લડાઈથી નહિ પણ પારસ્પરિક વાતચીત દ્વારા થવી જોઈએ એ વસ્તુમાં માનતો થયો છે અને તેને હિંસક લડાઈની નિરર્થકતા સમજાતી જાય છે. તેવે વખતે પણ પરમ અહિંસક ભગવાન મહાવીરના પૂજારી આપણે જો લાઠીના ન્યાયને જ પરમ ન્યાય માનીએ તો એના જેવું હાસ્યાસ્પદ બીજું શું હોઈ શકે? એટલે આપણે જો ભગવાનના નામને ઉજાળવું હોય અને તેમના અનુયાયી બનીને ભગવાનનું અને આપણું પોતાનું ગૌરવ વધારવું હોય તો ઓછામાં ઓછું એટલું તો કરવું જ જોઈએ કે આપસના કલહોના નિવેડાનો માર્ગ લાઠી નહિ પણ સમજાવટ જ હોઈ શકે એ જીવનથી સિદ્ધ કરી આપવું જોઈએ. પશ્ચિમના દેશોની દૃષ્ટિ હવે હિન્દુ ધર્મ પ્રત્યેથી ખસીને બૌદ્ધ અને જૈન ધર્મ તરફ વળી છે એ વખતે આપણે માત્ર આપણા શાસ્ત્રના બળે નહિ પરંતુ પ્રતિદિનના જીવન વડે અહિંસક સંસ્કૃતિનો બોધપાઠ આપવાનો છે, બૌદ્ધ ધર્મના પંડિતોએ પોતાની સંસ્કૃતિનો પ્રચાર કરવા કમર કસી છે, તેમને પોતાના ધર્મના વિસ્તારને લઈને કેટલાક લાભો પણ છે, જે જૈનોને નથી. એ છતાં એ બૌદ્ધો પોતાના સંસ્કૃતિના પ્રચારાર્થે જેટલા જાગ્રત અને ઉદ્યત છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269