Book Title: Mathuri
Author(s): Dalsukh Malvania, Jitendra B Shah
Publisher: Gurjar Granthratna Karyalay

Previous | Next

Page 221
________________ ૨૦૦ • માથુરી એક દલીલ ખાતર દલીલ છે. પણ વસ્તુસ્થિતિ તો એ છે કે જૈનોના આચાર્યોએ અને સાંખ્ય તેમ જ શાંતિદેવ જેવા બૌદ્ધ આચાર્યોએ અહિંસાનો વિચાર ઘણો જ સૂક્ષ્મતાથી કર્યો છે અને તેમાં તેમણે ગૃહસ્થને નિરવઘ ધંધો સ્વીકારવા ખાસ ભલામણો કરી છે અને હિંસક ધંધાના નિષેધ ઉપર ભાર આપ્યો છે. એટલે એ સાચું જ છે કે જૈનો મોતીનો વ્યાપાર કરે તે અનુચિત જ ગણાવું જોઈએ. પણ તેમના એક દૂષણને કારણે તેઓ બીજું દૂષણ પણ સ્વીકારે એમ વત્સલાબેનની દલીલ ઉપરથી ભાસ થાય છે તે વિશે તો તેમણે પુનર્વિચાર કરવો જ જોઈએ. જૈનો રેશમનો વેપાર કરતા હોય કે વાપરતા હોય છતાં માંસાશનનો વિરોધ શા માટે ન કરે? એક દૂષણ છે એટલે બીજાને પણ લાવવું? કે જે છે તેને નિવારવા પ્રયત્ન કરવો? હું તો એમ જ કહીશ કે જૈનો રેશમનો વેપાર કરતા હોય તો તે છોડી દે તો સારું જ છે, પણ જો છોડી ન જ શકે તો તેમણે માંસાશનનું સમર્થન પણ તે કારણે કરવું જોઈએ– એ આવશ્યક નથી. એમ કરવામાં તો દૂષણોની પરંપરા જ જીવનમાં દાખલ કરવી પડશે અને દૂષણના નિવારણને અવકાશ જ નહિ રહે. એટલે નવા દૂષણને દાખલ થવા ન દેવાનો પ્રયત્ન જૈનો અને બીજા કરતા હોય તો તેમાં તેઓ ખોટું શું કરે છે? દૂષણ તરફ ધૃણાભાવ થયે તેઓ ક્રમે કરી રેશમ કે મોતી પણ છોડશે જ. (૩) વાંદરા પરદેશ મોકલવાનું અને તેના ઉપર મનુષ્ય હિતાર્થે પ્રયોગ કરવાનું સમર્થન પણ વત્સલાબેને કર્યું છે. આ પ્રશ્ન ગંભીર વિચારણા માગે છે અને વિસ્તારથી ચર્ચવા જેવો છે પણ અત્યારે તો બેચાર વાત કહેવી જ યોગ્ય છે. પ્રથમ તો એ કે આપણા દેશની વૈદ્યકપરંપરાનો ઇતિહાસ તપાસતાં એમ જણાય છે કે પ્રાચીન ગ્રંથોમાં માંસ દ્વારા ચિકિત્સા અત્યંત પ્રચલિત હતી. પણ કાળક્રમે ભારતીય જીવનમાં જેમ જેમ અહિંસાનો સૂક્ષ્મ-સૂક્ષ્મતર-સૂક્ષ્મતમ વિચાર થતો ગયો અને જીવનમાં એ અહિંસાના વિચારને ઉતારનારા મહાપુરુષો પાકતા ગયા તેમ સમાજ અને વ્યક્તિના જીવનમાંથી વિવિધ ક્ષેત્રે જે હિંસા પ્રવર્તમાન હતી તે ક્રમે કરી ઓછી થતી ગઈ છે અને પરિણામે ભારતમાં માંસચિકિત્સાને બદલે કૌષધિ જેવી નિરવદ્ય ચિકિત્સાનો પ્રયોગ શરૂ થયો હતો અને બૃહદ્ વિકાસ થયો છે અને આજે તો દેશી વૈદકમાં એ જ પ્રચલિત છે અને માંસનો પ્રયોગ કોઈ જાણતું કે કરતું પણ નથી. તે વૈદ્યકના ગ્રંથો જોવાથી સ્પષ્ટ થાય છે. પણ મધ્યકાળમાં દેશના દુર્ભાગ્યને કારણે જે જડતાનું મોજું ફરી વળ્યું તેને કારણે સર્વક્ષેત્રે બારમી તેરમી શતાબ્દી સુધી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269