Book Title: Manovijay ane Atmshuddhi
Author(s): Yugbhushanvijay
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 173
________________ લાવ્યા. માટે અત્યારે ગમે છે તે ભવિષ્યમાં ન ગમે. જેમ પેંડા ભાવે છે - ખાતાં ખાતાં થાય કે હવે નથી ખાવું. તે વખતે આગ્રહ કરીને કોઇ ખવડાવે તો શું કરો? આગળ ખાધેલો પણ બહાર કાઢો ને? માટે એક જ વસ્તુ જુદા જુદા કાળે, ગમે પણ, અને ન પણ ગમે. તેમ એક જ વસ્તુ પર એક જ સમયે રાગ-દ્વેષ પણ હોઇ શકે. દા.ત. તમારી પત્નીનો સ્વભાવ ખૂબ જ સારો હોય માટે રાગ હોય, પરંતુ તેની ઓછી બુદ્ધિ હોય તેના કારણે તેની વાતો ન ગમતી હોય માટે દ્વેષ પણ હોય. જેમ ઘણાને પત્નીનું મોં ગમતું હોય, પણ મોં પર જરા ડાઘ હોય તેના કારણે સાથે અણગમો હોય. માટે એક જ વસ્તુમાં એક સમયે રાગ-દ્વેષ બન્ને હોઈ શકે છે. તમે હર્ષ અને આનંદમાં હો ત્યારે પણ આડકતરી રીતે શોકની લાગણી પડેલી હોય છે. તમારા જીવનમાં પડેલા હજારો ઘાના દુઃખ અંદરમાં પડેલા કાયમ હોય છે. આ અંદરની સાઇડને સમજવાનાં પાસાં છે. હવે જેમ એક માણસને ચાર ઠેકાણે વાગ્યું છે તેથી તેને પીડા થાય છે. તેમાં એક ઠેકાણે મસાજ કરી-દબાવીને થોડું દુઃખ હળવું કરો, ત્યારે મૂઢ મારના દુખાવામાં રાહતનો-સુખનો અનુભવ થાય, પણ તે વખતે બીજા ત્રણ ઠેકાણે વાગેલાનો દુખાવો તો સાથે હોય. તમારા શરીરમાં અમુક પ્રકારની સ્વસ્થતા-આરોગ્ય છે, અમુક પ્રકારની અસ્વસ્થતા-રોગ છે, બન્ને સાથે છે. તે જ રીતે તમારા મનમાં હજારો પ્રકારનાં સુખ છે, હજારો પ્રકારનાં દુઃખ છે અને આ બધાની અસરથી ચોવીસે કલાક મન ઘેરાયેલું હોય છે, માટે ઊંઘમાં પણ મન લાગણીથી શૂન્ય નથી. જેમ તમે અહીંયાં બેઠા છો ત્યારે જીવનમાં ભૌતિક ક્ષેત્રે ઘણું ગુમાવ્યાનો અફસોસ પણ છે અને સાથે મળેલી સફળતાનો આનંદ પણ છે. જેમ તમે એજીનીયર થઈ ગયા, તેનો આનંદ પણ છે અને હજી એજીનીયર લાઇનમાં સેટ નથી થયા, તેનો અફસોસ પણ છે. આમ, બન્ને સાથે મનમાં રહેલા હોય છે. માટે ઊંઘમાં પણ આ બધી આડકતરી અસરો મનમાં હોય છે. સુખદુઃખની આધારશિલા આંતરિક ભાવો, બાહ્ય પદાર્થો નહિઃ જેમ કોઈ પ્રીતિપાત્ર વ્યક્તિ અણધારી મૃત્યુ પામે તો તેના ભારે આઘાતથી ઘણા ટાઈમ સુધી મુખ ગ્લાન દેખાય ત્યારે તે હરેફરેખાયપીએ, કદાચ નાના બાળકને રમાડતાં તેની સાથે હસે, પણ તેનું હાસ્ય પહેલાં જેવું તો ન જ હોય. કારણ હાસ્ય વખતે અંતરમાં પીડા છે, શોક પણ છે, તેની અસર અંદર ચાલુ છે. તમે ચોક્કસ પ્રકારની લાગણીઓ વ્યક્તિ અને વસ્તુ પર બાંધીને બેઠા છો, તમે કાંઇ દુનિયાથી મુક્ત નથી, સંપત્તિ-પૈસા-ટકા બધા પર તમારી લાગણીઓ છે. અહીં બેઠાં જો ખબર પડે કે તમારો સોફો તૂટી ગયો તો દુઃખ થાય ને? કારણ મનમાં તેની સાથે કનેક્શન છે, માટે સતત અસર મનમાં રહેલી છે. તમને મનમાં જે લાગણીઓ પેદા થાય મનોવિજય અને આત્મશુદ્ધિ ૧૬૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208