Book Title: Manovijay ane Atmshuddhi
Author(s): Yugbhushanvijay
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 187
________________ અત્યારે ધંધામાં ગળાકાપ હરીફાઈ ચાલતી હોય છે, તેમાં કોઈ આડો આવે ને કરોડોનું નુકસાન થાય તેમ લાગે ત્યારે શું વિચારો ? ગમે તે રીતે તેને પતાવવાની તૈયારી ખરી ને? તમારા કરોડ-બે કરોડક્યાંક ફસાતા હોય ત્યારે તમને કઈ રેન્જના અશુભભાવો આવે? ગમે તે ભોગે પૈસા કઢાવવાના ને? જેનામાં આવા ભાવોની તીવ્રતા હશે તેને શુભલેશ્યા શક્ય જ નથી. પોતાના સ્વાર્થ ખાતર ગમે તેવું પગલું લેવા તેમની તૈયારી હોય છે. તેમ ધંધામાં લાગે કે જરા વિશ્વાસઘાત કરીશું તો બે પાંચ કરોડ મળશે, ત્યારે સામે પાયમાલ થાય તેમ હોવા છતાં શું વિચારો? તેનું જે થવું હોય તે થાય, પણ આપણે તો મેળવી લો. આ બધા કૃષ્ણલેશ્યાના ભાવો છે. પછી ભલે તે પ્રસંગે દાન-દયા-પરોપકાર કરતો હોય, પણ મૂળથી પ્રકૃતિ ઉગ્ર સ્વાર્થવાળી છે. હા, ઘણા જન્મે ત્યારથી શુભલેશ્યા લઈને જન્મ્યા હોય છે. પણ એવા જીવો ઘણા જ ઓછા નીકળે. આપણે જન્મ્યા ત્યારથી અશુભલેશ્યા લઇને જન્મ્યા હોઇએ, પણ હવે શુભલેશ્યામાં જઈ શકીએ તેમ છીએ. પરંતુ તેના માટે મનમાં સંકલ્પ જોઇએ. સભા - પૈસા રોક્યા પછી તે માણસ બદમાશ નીકળે ને પૈસા ન આપે તો? સાહેબજી:- શ્રાવક માટે આજ્ઞા શું છે? શ્રાવકને માણસ ઓળખીને વ્યવહાર કરવાનો છે. માટે ભૂલ તમારી છે કે તમે ઓળખ્યા વગર મૂડી રોકી. તમને પેલાની ભૂલ દેખાય છે, તે બદમાશ લાગે છે, પણ તમે બદમાશને ઓળખ્યો નહિ, તો તમે ડોબા નહિ? સભા:- રાંડ્યા પછીનું ડહાપણ. સાહેબજી:- તમે વ્યવહાર કરતાં લાલચમાં વધારે મરો છો. વધારે વ્યાજ મળે છે ને? માટે લોભ ને લાલચમાં ગમે ત્યાં ભરાઓ છો. પછી છાતી કૂટો તેમાં શું વળે? માટે વ્યવહાર સજ્જન સાથે જ કરવાનો છે. સજ્જન માણસની કફોડી સ્થિતિ આવે તો પણ તમને ચિંતા ન હોય. તેની પાસે આવશે ત્યારે તે આપ્યા વગર રહેશે નહિ. પણ તમે ધિરાણ કરતાં માણસની લાયકાત ચકાસો છો ખરા? કે ખાલી વળતર જુઓ છો? માટે જ તમને ધુતારા મળે છે. હવે તેજોલેશ્યાવાળાને પોતાના ૨૦-૨૫ લાખ રૂપિયા જાય તો એમ ન થાય કે તેને હું સીધો કરી નાખું, પતાવી દઉં, પેલાને પછાડીને પણ પૈસા મેળવી લઉં, પછી તેનું જે થવું હોય તે થાય. આ બધું તેજોલેશ્યાવાળાને શક્ય નથી. તેને તો વિચાર આવે કે અત્યારે તે કેવી પરિસ્થિતિમાં છે? તેમાં મારા સ્વાર્થ ખાતર શું તેને હું વધારે દુઃખ આપું ? તેને તેના કુટુંબપરિવારની ચિંતા હોય. માટે જેને જીવનમાં માત્ર પોતાના જ સ્વાર્થની ચિંતા હોય તે જ ન મ ર મ ક મ મ મ મ મ મ ક ા જ જ ન મ ર મ મ જ ક ક મ ક % જ % જ ન શક કે ક ક જ કે જે જ મનોવિજય અને આત્મશુદ્ધિ ૧૮૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208