Book Title: Manovijay ane Atmshuddhi
Author(s): Yugbhushanvijay
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 197
________________ જ તમે સંસારનું ચિંતન કરી શકો છો. જેમ ખાવાનું ચિંતન ક્યારે થાય ? જો ખાવામાં આસક્તિ હોય, ટેસ્ટની વૃત્તિ હોય તો જ તે વાનગીઓનું ચિંતન થઈ શકે છે. માટે સંસારમાં પણ ચિંતન કરવા ભોગનાં આકર્ષણ, રસ, આસક્તિ, ઇચ્છા અતૂટ જોઈએ છે. તેની જેમ અહીંયાં પણ ધર્મમાં આકર્ષણ, ઇચ્છા, રસ, રુચિ જોઇએ. આત્માનું ચિંતન કરવા આત્મામાં રસ જોઇએ. શુભ ચિંતન કરવા માટે સાંસારિક ભાવોથી પર થવું જોઇએ. એટલો ટાઇમ સારા વિચારોમાં રહેવું તેટલું જ ન જોઈએ, પણ એટલો ટાઈમ સંસારના વિષયોથી મન પરાઠુખ થવું જોઇએ. તમે અડધો કલાક પરમાત્માનું ચિંતન કરવા બેઠા તે વખતે, પૂર્વે જેટલા જીવો પ્રત્યે ગેરવર્તાવ કર્યા હોય તેમના પ્રત્યે ક્ષમાનો ભાવ પહેલાં જોઇએ, નહીંતર ચિંતન ન કહેવાય. શાસ્ત્રમાં લખ્યું છે કે, આવું શુભ ચિંતન કરો તો તેનાથી અસંખ્ય ક ખપે છે. તે એક અદ્ભુત ધર્મ છે. શુભ ચિંતન કર્મની નિર્જરા ને પુણ્યબંધનું સાધન છે. પૂ.આ. શ્રીહરિભદ્રસૂરિએ “યોગબિંદુ”માં લખ્યું કે, “મૈત્યાદિ યુક્ત ભાવોથી ચિંતન તેને જ અમે અધ્યાત્મ કહીએ છીએ.” કોઈ કહેશે કે અત્યારે આત્માનું કે તપધર્મનું ચિંતન કરવું છે તેમાં ક્ષમાની શું જરૂર? પરંતુ શુભનું ચિંતન કરવું હોય તો શુભભાવો પાયામાં જ જોઇશે, જેમ સંસારમાં પણ તમારે અશુભ ચિંતન માટે સંસારને અનુરૂપ ભાવો જોઇએ છે. માટે શુભ ચિંતન કરતાં પૂર્વે પ્રકૃતિમાં અશુભભાવોને કાઢીને શુભભાવોને ગોઠવવાના છે. * જેમ પિક્સર જોતા હો ત્યારે શૃંગારરસથી આકર્ષિત કેમ થાઓ છો? કારણ પિશ્ચર જોતાં પહેલાં પણ તમે કામરસિક છે. એટલે જ એમાં તમે તલ્લીન થઈ શક્યા. ત્યારે એક વિરાગી આત્માને આવા પ્રોગ્રામ દેખાડો તો કંટાળો આવે, માથું દુખવા આવે; કારણ બેકગ્રાઉન્ડમાં તેને રસ નથી, આકર્ષણ નથી, વાસના-વિકાર નથી. તેમ ધર્મનું ચિંતન પણ ક્યારે થાય ? ધર્મને અનુરૂપ ભાવો પ્રકૃતિમાં વણાય ત્યારે શુભ ચિંતન આવે. ઘણા કહે છે કે ભલે અમે સંસારમાં જે કરતા હોઇએ તે કરીએ, પણ જયારે ધર્મમાં આવીએ ત્યારે તેમાં જ એકાકાર થઈ જઈએ છીએ. પણ આ અશક્ય છે. કારણ જેને અશુભ પર રાગ છે તે શુભમાં એકાકાર થઈ શકતો નથી. માટે જ પહેલાં અંતઃકરણને શુભ ભાવોથી, મૈથ્યાદિ ભાવોથી વાસિત કરવાનું છે. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * મનોવિજય અને આત્મશુદ્ધિ ૧૯૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208