Book Title: Manovijay ane Atmshuddhi
Author(s): Yugbhushanvijay
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 184
________________ ખાવામાં ખાવાના જ વિચાર આવે કે ત્યારે પણ ધંધાના વિચાર ચાલુ હોય? બધે જ મન ભાગતું હોય છે. તન્મય થઇને પ્રવૃત્તિ કરનારા જીવો ઓછા હોય છે. તમારા મનને કરાતી પ્રવૃત્તિ સાથે પૂર્વાપર અનુસંધાન નથી હોતું. વિચારોમાં ધારાબદ્ધતા નથી હોતી. ગમે તે વિચાર ગમે ત્યારે ટપકી પડતા હોય છે. એટલે પ્રવાહબદ્ધતા જોઇએ, તે નથી હોતી. અરે, તમને જે વિચાર આવે તેમાં પણ તમારી એકાકારતા ખરી? હાથમાં લીધેલ પ્રવૃત્તિમાં પણ તમારું મન ઠેકાણે નથી હોતું. સત્તર જાતના વિચારો ચાલતા હોય છે. ચંચલ અને અસ્વસ્થ જ ચિત્ત હોય છે. ધર્મઆરાધના નિરતિચાર કરવી હોય તો તેના વિચારમાં પ્રવાહબદ્ધતા જોઇએ, એકાકારતા-લયલીનતા જોઇએ. તીર્થકર ભગવંત દીક્ષા લે પછી તેઓ જે પણ પ્રવૃત્તિ કરે તેમાં જ તેમનો ઉપયોગ હોય. ગોચરીએ જતાં આત્માનું ચિંતન કરતા ન હોય. ઉપયોગશૂન્યતાપૂર્વક જો ખાવાની ક્રિયા કરે તો સાધુપણામાં દોષ લાગે. જેમ ખાતી વખતે સ્તવનના ભાવોમાં હું કદાચ પરોવાઈ જાઉં તો દોષ લાગે. માટે જે ક્રિયા કરતા હો તેમાં જ ઉપયોગની એકાકારતા જોઇએ. જે મહાત્મા નિરતિચાર ચારિત્ર પાળતા હોય, તે ઉપાશ્રયથી નીકળે ત્યારે તેમને ખ્યાલ હોય કે તેમને ક્યાં જવું છે, તે બાજુ જ તેમના પગ ઊપડે. ચાલતાં જયણામાં જ ઉપયોગ હોય. પછી જેના ઘરે જવાનું હોય ત્યાં જઈને જે પ્રવૃત્તિ કરવાની હોય તેમાં જ ઉપયોગ હોય, પણ રસ્તે ચાલતાં કે ગોચરી વહોરતી વખતે કાંઈ સ્વાધ્યાય કે શાસ્ત્રના વિચાર તેમને ન હોય. તમે જન્મથી માંડીને અત્યાર સુધીમાં એકપણ ક્રિયા આખી સાંગોપાંગ તન્મયતાથી કરી છે ખરી? ના, કારણ મનની પ્રવાહબદ્ધતા નથી. માટે જ સમગ્રતાથી ચેતનાને પરોવીને કોઈ પણ પ્રવૃત્તિ કરી શકતા નથી. ગમે તે વિચાર ગમે ત્યારે ટપકી પડતા હોય છે. હવે આવી અવસ્થાવાળી વ્યક્તિમાં શુભધ્યાન આવવાની શક્યતા જ ક્યાં છે? શાસ્ત્રમાં પૂછ્યું કે કઈ ક્રિયાથી ધ્યાનમાં ચઢાય? તો જવાબમાં કહ્યું કે કોઈપણ પ્રવૃત્તિથી ધ્યાનમાં ચઢી શકાય. મુનિની પ્રત્યેક ક્રિયા ધ્યાન બની શકે છે. તેમ શ્રાવક માટે પણ બધી ધર્મક્રિયા ધ્યાનનું સાધન બની શકે છે, પણ મનમાં એકાકારતા સાંગોપાંગ જોઇએ. અત્યારે તો શુભલેશ્યા નથી અને કેળવાયેલું મન પણ નથી, માટે શુભધ્યાન આવવાનો સવાલ નથી. તેથી પહેલાં એકાકારતાને યોગ્ય મન કેળવી શુભલેશ્યા પામવાની જરૂર છે. હવે શુભધાન પામવા મનનું સ્ટાન્ડર્ડ કેવું હોય, તે જોઈએ. શુભલેશ્યા પામવા બધા માનસિક અશુભભાવો-દોષો ટળી જવા જોઈએ જ તેવું ધોરણ નથી. અત્યારે કોઇનું મન એવું નથી કે જે સતત સંપૂર્ણ શુભ વિચારમાં જ હોય. જો કોઇનું હોય તો તે વ્યક્તિ દર્શનીય ગણાય. પણ અત્યારે આટલા હાઈ લેવલના જીવો નથી. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * ૧૭૮ મનોવિજય અને આત્મશુદ્ધિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208