Book Title: Mahasati Anjana Sati Chandanbala
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 10
________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી ૧-૪ સ્વામી ! તમે બધાંને બોલાવ્યાં ને મને તો બોલાવતા નથી ! પણ હું વિનંતી કરું છું કે યુદ્ધમાંથી વહેલા આવજો ને તમારો મારગ સુખકારી થજો.” પવનજિતે તો અંજનાના સામું પણ ન જોયું. તેને પગ વડે તરછોડીને ચાલ્યા. સતી અંજના બેભાન ઢળી પડી. દુ:ખિયારી અંજના, રાતે આંસુડે રૂએ છે, ને દિવસો વિતાવે છે. પવનજિત લશ્કર લઈ સાંજ સુધી ચાલ્યા. સાંજના વખતે પડાવ નાખ્યો. એક ચકવો ને ચકવી ઝાડ પર બેઠાં છે. ચાંચમાં ચાંચ મિલાવી આનંદ માણી રહ્યાં છે, પણ રાત થઈ ને ચકવો ચાલ્યો ગયો ચકવી ટળવળવા લાગી. ડાળી સાથે ચાંચ અફાળે– માથું અફાળ–કાંઈ કાંઈ કરી નાખે. અંધારું ધીમે ધીમે ફેલાતું જાય છે. તે વખતે પવનજિતને આ જોઈ વિચાર થયો. અહો ! એક રાતના વિજોગથી આ ચકવીને આટલું બધું દુઃખ થાય છે, તો પરણીને પહેલી જ રાતે મેં જેને છોડી છે તેને કેમ થતું હશે? પવનજિતનું મન પલટાયું. તેનો પહેલાંનો રોષ ટળી ગયો. તેણે પોતાના મિત્રને મનની વાત કહી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36