Book Title: Kathasahitya 2 Abhishek
Author(s): Ratilal D Desai
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 203
________________ ૧૯૦ ૦ અભિષેક . ઉંમરે થાય એટલી સારી, જેથી ભોગવિલાસમાં સમય અને શક્તિ બરબાદ થતાં અટકે. આપ આપની વાત જતી કરો અને મને મારા યોગસાધનાના માર્ગે જવા દો. આપની પાસેથી તો, ઊલટું, મને મારી સાધનામાં મદદ મળવી ઘટે !” રાજા અને રાણી બન્ને સમજી ગયા કે આ તો પાકી ગજવેલ છે. છતાં રાજા પોતાના મમતથી પાછો હઠવા તૈયાર ન હતો. એણે ગુસ્સાના આવેશમાં એટલું જ કહ્યું: “અમારા હુકુમનો અનાદાર કરવાનો અંજામ તો સમજો છો ને ?” “હું તો એટલું જ સમજું છું. મારા આત્માની આજ્ઞાનું ઉલ્લંઘન કરવામાં જે નુકસાન છે, એના કરતાં આપના હુકુમને નહીં માનવામાં ઓછું નુકસાન રહેલું છે.” યોગીએ દૃઢતાથી કહ્યું. “યોગી, તમારું ભાવિ તમને ભુલાવી રહ્યું હોય એમ લાગે છે ” રાજાએ તિરસ્કારમાં કહ્યું. “રાજનું મને આમાં મારી યોગસાધનાની કસોટી થતી લાગે છે. હું પ્રાર્થના કરું છું કે મારા દેવ-ગુરુ મને મારા ધર્મની રક્ષાની આ કસોટીમાંથી પાર ઉતારે ! બાકી તો, આપને હું શી રીતે રોકી શકું? પણ એટલું યાદ રાખજો કે આપની આજ્ઞામાં ન મારું ભલું છે, ન આપનું ભલું છે, કે ન દુનિયાનું ભલું છે!” એક બાજુ રાજા હતો. બીજી બાજુ યોગી હતો. કોઈ પોતાની વાત જતી કરવા તૈયાર ન હતા. જાણે રાજહઠ અને યોગીહઠ સામસામી ટકરાતી હતી. એના તણખા કોને નહીં દઝાડે ભલા ? ઠીક, ત્યારે, તમારી હઠનો ખતરનાક અંજામ ભોગવવા તૈયાર રહો ! ” અને રાજાએ રાજહસ્તીને તરત લઈ આવવા હુકમ કર્યો. મોતના અવતાર જેવો મદઝરતો હાથી સામે ખડો છે. નશો કરાવીને એને પાગલ બનાવવામાં આવ્યો છે. સામે શાંત-સ્વસ્થ યોગી ઊભો છે. મોતનો એને કોઈ ડર નથી; જીવનનો એને કશો મોહ નથી. એને તો આજે પોતાનો યોગ સફળ થતો લાગે છે. એ પોતાના ઈષ્ટદેવના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225